New Update
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સુરતનાં વરાછામાં પાવર લુમ્સ અને ડાંઈગ મીલની તથા હિરાનાં કારખાનની મુલાકાત લીધી હતી. ત્યારબાદ રાહુલે વેપારીઓ સાથે બેઠક પણ યોજી હતી.
આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ નોટબંધી અને GSTને લઈને ભાજપ પર પ્રહાર કર્યા હતા. વેપારીને સંબોધન કરતા કહ્યું કે સુરત ચીન સાથે મુકાબલો કરી શકે છે.
કોંગ્રેસે નોટબંધીનાં એક વર્ષ પૂર્ણ થતા 8 નવેમ્બરે કાળો દિવસ તરીકે ઉજવ્યો હતો, સુરતનાં ચોક વિસ્તારમાં આવેલી ગાંધીજીની પ્રતિમા પાસે રાહુલ ગાંધીની હાજરીમાં કાળા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
Latest Stories