સોમનાથમાં અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરવાનું ચુક્યા

New Update
સોમનાથમાં અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલને વંદન કરવાનું ચુક્યા

સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવેલા ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને વંદન કરવાનું ચુકતા ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે ગયા હતા, અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે મંદિરનાં ટ્રસ્ટ દ્વારા ફુલહાર અને પૂજારીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

જોકે અમિત શાહનો કાફલો સોમનાથ મહાદેવનાં દર્શન કરીને સીધો સરદાર પટેલની પ્રતિમા પાસે થી પસાર થઈ જતા આખરે પૂજારીએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પી હોવાનું જાણવા મળ્યુ છે.

Latest Stories