અંકલેશ્વર : ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી

New Update
અંકલેશ્વર : ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી

રમઝાનના પવિત્ર મહિનાના અંતે સમગ્ર મુસ્લિમ સમુદાય ઈદની ઉજવણી કરી. ગત સાંજે ગુજરાત ચાંદ કમિટીએ ચાંદ દેખાયાની જાહેરાત કરતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં ઈદની ઉજવણી કરી.

અંકલેશ્વર ઇદગાહ ખાતે મુસ્લિમ બિરાદરોએ રમઝાન ઈદની નમાજ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી. આ વખતે રમઝાન મેં મહિનામાં આવતી હોય 40 થી 45 ડીગ્રીમા પણ મુસ્લિમ સમાજે રોજા રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી. અને અંતે રમઝાન ઈદ આવતા સમગ્ર મુસ્લિમ સમાજમાં એક અનેરી ખુશી જોવા મળી હતી.

Latest Stories