આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

New Update
આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ

ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી એટલે કે સોમવારથી રાજ્યની 45 હજાર કરતાં વધુ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ 11 હજારથી વધુ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના કેમ્પસો સવા કરોડથી વધુ બાળકોના કિલ્લોથી ગૂંજી ઉઠશે.

ગત 6 મેથી રાજ્યની તમામ સ્કૂલોમાં 35 દિવસનું ઉનાળુ વેકેશન આપવામાં આવ્યુ હતુ. જે રવિવારે પૂર્ણ થતા આજથી સ્કૂલો રાબેતા મુજબ શરૂ થશે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થશે.

ઉનાળુ વેકેશન પૂર્ણ થઈને આજથી શાળાઓનું નવુ સત્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. તેને લઇને શૈક્ષણિક વિભાગ તરફથી કેટલીક સૂચનો હાથ ધરવામાં આવ્યા છે. જેમાં પ્રથમ સત્રમાં 104 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેવાની વાત કહેવામાં આવી છે, તો બીજા સત્રમાં 142 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે.

પ્રથમ સત્રમાં બાળકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવામાં આવશે. સમગ્ર શૈક્ષણિક સત્રમાં 80 રજાઓ અને 246 દિવસ અભ્યાસ કરાવવામાં આવશે. તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 5 માર્ચ 2020થી શરૂ થશે. 13થી 15 જૂન દરમિયાન રાજ્યની શાળાઓમાં પ્રવેશોત્સવ યોજાશે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.
Latest Stories