દહેજની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ યોજાયો
BY Connect Gujarat24 Dec 2016 12:31 PM GMT

X
Connect Gujarat24 Dec 2016 12:31 PM GMT
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ ઔદ્યોગિક વસાહત ખાતેની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પી.જે છેડા વિદ્યાલય ખાતે નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે યોજાયેલ આ કેમ્પનો વાગરા તાલુકાના 20 થી વધુ ગામના અંદાજિત 609 જેટલા જરૂરિયાતમંદ લોકોએ લાભ લીધો હતો.
કેમ્પમાં 428 લોકોને નિઃશુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જયારે 72 લોકોની મોતિયાની સર્જરી કરવામાં આવી હતી.
નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પનું ઉદ્દઘાટન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સાઈડ પ્રેસિડન્ટ પી.કે.જૈન ને કર્યું હતુ. જયારે કેમ્પમાં કંપનીના પ્રતિનિધિઓ હેમરાજ પોલ, ડો.પરેન શાહ, ડો.વિનય શેઠ, રંજના કંડારી, ગામના પ્રતિષ્ઠિત નાગરિક નરેન્દ્રસિંહ રણા, શાળાના આચાર્ય હરેન્દ્રસિંહ સિંધા ઉપસ્થિત રહ્યા હતા.
Next Story