પ્રમુખ સ્વામીની ૯૯મી જન્મજયંતિ નિમિત્તે અટલાદરા મંદિર ખાતે યોજાયો અન્નકુટ

New Update
પ્રમુખ સ્વામીની ૯૯મી જન્મજયંતિ નિમિત્તે અટલાદરા મંદિર ખાતે યોજાયો અન્નકુટ

પ્રમુખ સ્વામી મહારાજના 99 મા જન્મજયંતિ મહોત્સવ નિમીત્તે અટલાદરા સ્વામીનારાયણ મંદિર ખાતે મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે. તા.28 ઓક્ટોબરના રોજ આયોજીત આ મહા અન્નકૂટ 3500 વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું હતું કે, પ્રમુખ સ્વામી મહારાજના 99માં જન્મદિવસ નિમીત્તે આયોજીત અન્નકૂટ મહોત્સવ ભવ્યાતિભવ્ય વાતાનુકુલિત ટેન્ટ બનાવવામાં આવ્યો છે. આ ભવ્ય અન્નકૂટના દર્શન વડોદરા શહેરનું અવિસ્મરણિય સંભારણું બની રહેશે. મંદિર પરિસરની સામે આવેલા વિશાળ ગ્રાઉન્ડમાં આયોજીત મહા અન્નકૂટ દર્શન માટે ભવ્ય કલાત્મક પ્રવેશ દ્વાર બનાવવામાં આવ્યો છે.

પ્રવેશ દ્વારની અંદર વાતાનુકુલીત ભવ્ય 130 બાય 240 ફૂટનો મંડપ બનાવવામાં આવ્યો છે. જેમાં 3500 વાનગીઓનો મહાઅન્નકૂટ માટે સ્ટેજ બનાવવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તા.28 ઓક્ટોબરના રોજ આયોજીત મહા અન્નકૂટ માટે હરીભક્તો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. બહેનો દ્વારા બેકરીની વિવિધ ચિજવસ્તુઓમાંથી વિવિધ ચિજવસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે. મહાઅન્નકૂટના દર્શન તા.28ના રોજ સવારે 10 થી રાત્રિના 8 વાગ્યા સુધી ખૂલ્લા રહેશે. જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનનો લાભ લેશે.

Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના ઇલાવ ગામે રૂપસુંદરી નામનો સાપ નજરે પડ્યો, જીવદયા પ્રેમી દ્વારા પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મુકાયો

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
Screenshot_2025-07-09-07-39-15-29_92460851df6f172a4592fca41cc2d2e6

હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે સરીસૃપો દરમાંથી બહાર આવી જતા હોય છે. આવા સમયે ભરૂચના હાંસોટના તાલુકાના ઇલાવ ગામે સાપ નજરે પડતા દોડધામ મચી જવા પામી હતી.

ઇલાવ ગામે રામજી મંદિર ફળિયામાં યુવાનોએ સાપ જોયો હતો આ અંગેની જાણ સાપ રક્ષણ માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરતા ગામના  જૈમીન  પરમારને કરી હતી.જૈમીન પરમારે આવી સાપનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને પકડી સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી હતી.સાપને બહાર કાઢી જોતા તે 2 ફૂટ લાંબો અને બિનઝેરી પ્રજાત્તિનો રૂપસુંદરી તરીકે ઓળખતો સાપ હોવાનું જણાવ્યું હતું. તેનો દેખાવ ખુબ સુંદર હોય તેને રૂપસુંદરી કહેવામાં આવે છે. ગ્રામજનો તેને સૂકી સાપણ તરીકે પણ ઓળખે છે.અંગ્રેજીમાં તેને કોમન ટ્રીનકેટ સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે.