જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા, 14 વર્ષિય સગીર પણ શામેલ

New Update
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા, 14 વર્ષિય સગીર પણ શામેલ

જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ ઘટના શોપિયાના હાડીપોરાની છે, હત્યા કરાયેલા આતંકીઓમાં એક 14 વર્ષનો સગીર હતો, જેની શરણાગતિ માટેના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. બીજી તરફ અનંતનાગ જિલ્લામાં પણ આતંકવાદીઓની હાજરીની માહિતી મળ્યા બાદ અથડામણ ચાલી રહી છે. અનંતનાગના બિજબીહારામાં ઓપરેશન ચાલી રહ્યું છે, અહીં પણ 2 થી 3 આતંકવાદી હોવાના અહેવાલ છે.

આતંકવાદીઓની હાજરીની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ દક્ષિણ કાશ્મીરના શોપિયા જિલ્લાના હદીપુરામાં ઘેરો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, આ દરમિયાન આતંકવાદીઓએ તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. આ અંગે સુરક્ષા જવાનોએ પ્રતિક્રિયા આપી હતી. આતંકવાદીની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે અને તેની સંગઠનનું નામ પણ જાણવાની તજવીજ ચાલી રહી છે.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ દરમિયાન અનંતનાગ જિલ્લામાં પણ એન્કાઉન્ટર શરૂ થયું. તેમણે કહ્યું કે, દક્ષિણ કાશ્મીરના આ જિલ્લાના બિજબેહરા વિસ્તારના સેમથાનમાં આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ઘેરો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે અથડામણ શરૂ થઈ ગયું હતું.

આ પહેલા ગુરુવારે જમ્મુ-કાશ્મીરના શોપિયામાં એક મસ્જિદમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હતા. સુરક્ષા દળોએ ધાર્મિક સ્થળને બચાવતી વખતે 5 આતંકીઓને ઠાર કર્યા હતા. 20 થી વધુ વર્ષોમાં પ્રથમ વખત, દક્ષિણ કાશ્મીરના આ તોફાની શહેરમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પહેલીવાર હતું જ્યારે શોપિયાની મસ્જિદની અંદર આતંકવાદીઓ ઘેરાયેલા હતા.

Read the Next Article

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર, દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં

New Update
yellq

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.                                                                                 

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે (5 જુલાઈ)  છૂટછવાયો  વરસાદ પડી શકે છે. IMD અનુસાર, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  રાજસ્થાન ગુજરાત સહિત  ઉત્તરાખંડમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. બાગેશ્વરમાં બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભૂસ્ખલન અને નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રા પણ હાલ માટે બંધ કરવામાં આવી છે.                   

યુપી અને બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને તેરાઈ પ્રદેશોમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે પશ્ચિમી જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે. બિહારના ઘણા શહેરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સતત મુશળધાર વરસાદ

રાજસ્થાનના કોટા, અજમેર અને પોખરણમાં 128  મીમી સુધી વરસાદ નોંધાયો છે. ઘણા બંધના દરવાજા ખોલવા પડ્યા છે. જોધપુર અને અજમેરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.