નંદિની ઘીનો ઉપયોગ હવે આંધ્ર પ્રદેશમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)માં બનેલા પ્રસાદમ (લાડુ)માં થાય છે. નંદિની કર્ણાટક મિલ્ક ફેડરેશનની લોકપ્રિય બ્રાન્ડ છે. વિવાદ વચ્ચે, માત્ર એક મહિના પહેલા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) એ કર્ણાટક મિલ્ક ફેડરેશનને ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.કર્ણાટક મિલ્ક ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર એમકે જગદીશે જણાવ્યું હતું કે, અમે અમારા વાહનોમાં જીપીએસ સિસ્ટમ અને જિયો લોકેશન ડિવાઇસ લગાવ્યા છે. આ વાહનો મંદિરમાં ઘી પહોંચાડે છે.
આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણનું તિરુપતિ લાડુ પ્રસાદ વિવાદ અંગે આપ્યું નિવેદન
Featured | સમાચાર, નંદિની ઘીનો ઉપયોગ હવે આંધ્ર પ્રદેશમાં શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બનેલા પ્રસાદમમાં થાય છે. નંદિની કર્ણાટક મિલ્ક ફેડરેશનની લોકપ્રિય બ્રાન્ડ
જીપીએસ સિસ્ટમ લગાવવાથી ખબર પડે છે કે વાહન ક્યાં અટક્યું છે. જેથી ભેળસેળ અટકાવી શકાય. કર્ણાટક મિલ્ક ફેડરેશનને 350 ટન ઘી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.બીજી તરફ, આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ પણ તિરુપતિ લાડુ પ્રસાદમમાં પ્રાણીઓની ચરબી શોધવા માટે પોતાને દોષી જણાવી રહ્યા છે. પવને કહ્યું કે, તેમને અફસોસ છે કે તેમણે અગાઉ ભેળસેળ વિશે કેમ ખબર ન પડી. તેઓ આનું પ્રાયશ્ચિત કરશે. પવને કહ્યું- તે 11 દિવસ ઉપવાસ કરશે.
