-
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન
-
શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
-
મર્હુમ અહેમદ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા
-
મુમતાઝ પટેલે પિતાને કર્યા યાદ
-
કોંગ્રેસના આગેવાનો રહ્યા ઉપસ્થિત
ભરૂચ: મર્હુમ અહેમદ પટેલની 5મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા, મુમતાઝ પટેલ પિતાને યાદ કરી થયા ભાવુક !
કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હુમ અહેમદ પટેલની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તેઓને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પાર્ટીના વરિષ્ઠ નેતા મર્હુમ અહમદ પટેલની પુણ્યતિથિ નિમિત્તે આજે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહી અહમદ પટેલના રાજકીય યોગદાન, સરળ સ્વભાવ અને લોકહિતના અભિગમને યાદ કરતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમમાં અહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે અહેમદ પટેલના દેશપ્રતિ મૂલ્યો અને સિદ્ધાંતો પર ચાલવાની કોશિશ કરી રહ્યા હોવાનું નિવેદન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ જ્યોતિ તડવી, સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
