ઝિમ્બાબ્વેમાં કારિબા સરોવર પર મુસાફરોથી ખચોખચ ભરેલી એક બોટ અકસ્માતનો ભોગ બન્યા બાદ મોટા પાયે રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
ઝિમ્બાબ્વેની લેક કારિબામાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી એક બોટ પલટી ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોનાં મોત થયાં છે, જ્યારે 27 લોકો હજુ પણ લાપતા છે. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન એજન્સીએ જણાવ્યું હતું કે 77 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને સરોવરમાં આવેલા એક ટાપુ પર લઈ જવામાં આવ્યા હતા.
શરુઆતી જાણકારી અનુસાર, બોટમાં તેની નિર્ધારિત ક્ષમતા કરતાં ઘણા વધારે લોકો સવાર હતા. અકસ્માત બાદ ડઝનબંધ મુસાફરોને બચાવીને સરોવરમાં આવેલા એક ટાપુ પર લઈ જવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઘણા લોકોની હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.
ઝિમ્બાબ્વેના સિવિલ પ્રોટેક્શન યુનિટે જણાવ્યું હતું કે ટિકિટના વેચાણના રેકોર્ડ મુજબ, બોટમાં ૧૧૪ પુખ્ત મુસાફરો અને પાંચ ક્રૂ સભ્યો સવાર હતા. જોકે, ટિકિટ માટે નિર્ધારિત વય મર્યાદાથી ઓછી ઉંમરના બાળકોની સંખ્યા અજ્ઞાત અથવા નોંધાયા વગરની હોઈ શકે છે. એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે બોટની ક્ષમતા 90 લોકોની હતી.
સ્થાનિક સાંસદ મુત્સા મુરોમ્બેદઝીએ એક વીડિયો પોસ્ટ કર્યો. તેમણે સમજાવ્યું કે તેમાં લોકોને કિનારા પર ઊભા રહીને એક જૂની બોટને તેની સફર શરૂ કરતી વખતે વિદાય આપતા જોઈ શકાય છે. તેમણે જણાવ્યું કે ગ્રામજનો સરોવરના માર્ગે કારિબા નગરે જવા માટે આ બોટનો ઉપયોગ કરે છે.
