અમદાવાદ : SBI બ્રાન્ચમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, કોર્પોરેશને બ્રાન્ચને કરી દીધી સીલ

New Update
અમદાવાદ : SBI બ્રાન્ચમાં જોવા મળ્યો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, કોર્પોરેશને બ્રાન્ચને કરી દીધી સીલ

હાલ રાજ્યમાં વકરી રહેલ કોરોના મહામારીને ધ્યાનમાં રાખી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું પણ બેહદ જરૂરી છે. જેનો કડક અમલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કરાવવામાં આવી રહ્યો છે. AMC દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરનારી દુકાનો અને મોલ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી અંતર્ગત કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે તેમાં શહેરની એક એસબીઆઈ બ્રાન્ચને સીલ કરવામાં આવી છે

અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં નજીવો ઘટાડો થયો છે. તે ઉપરાંત અનલૉક દરમિયાન શહેરમાં લોકો વધુ બેદરકાર થઈ રહ્યાં હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે નવરંગપુરાના મીઠાખળીમાં કોરોના વાયરસના જાહેરનામાનો ભંગ કરવા બદલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચને સીલ કરી દીધી છે. તે ઉપરાંત એટીએમ રૂમને પણ સીલ કરી દેવામાં આવ્યો છે. બેંકમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતની ગાઈડલાઈનના ધજાગરા ઉડતા હોવાથી સોલિડ વેસ્ટ વિભાગે આ કાર્યવાહી હાથ ધરી હતી. અમદાવાદમાં કોરોના વાયરસની મહામારીમાં સાવચેતી રાખવાની જગ્યાએ લોકો વધુ બેખૌફ બન્યાં છે. ત્યારે તંત્ર દ્વારા કડક પગલાં પણ લેવામાં આવી રહ્યાં છે.

 

એએમસીને ફરિયાદ મળી હતી કે અહીં બ્રાન્ચમાં કોવિડ 19 ની ગાઇડલાઇનનું ઉલ્લંઘન થાય છે બ્રાન્ચમાં લોકો માસ્ક વગર પણ જોવા મળે છે તો સામાજિક અંતરનું પણ ધ્યાન નથી રાખવામાં આવતું ઉપરાંત ભારે ભીડ અંદર ભેગી થાય છે. આ ફરિયાદ બાદ એએએમસીની ટિમ બ્રાન્ચમાં પોહચી અને અને બ્રાન્ચને સીલ કરી દેવામાં આવી. સીલ કર્યાની સાથે એસબીઆઈ બ્રાન્ચને એક નોટિસ પણ આપવામાં આવી છે.

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.