અમદાવાદ : રામનવમી પૂર્વે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી, શોભાયાત્રાની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાય

અમદાવાદ શહેરમાં રામનવમીના પવિત્ર દિવસે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ દ્વારા સમીક્ષા બેઠક યોજાય હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના તમામ PI હાજર રહ્યા

New Update
  • કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જાળવવા પોલીસ સજ્જ

  • રામનવમીને લઈને અગત્યની બેઠકનું આયોજન કરાયું

  • શહેર પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાય

  • શોભાયાત્રાની સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાય

  • શહેરમાં 14 હજાર CCTV લગાડવામાં આવ્યા : પો. કમિશનર 

Advertisment W3.CSS

અમદાવાદ શહેરમાં રામનવમીના પવિત્ર તહેવારને લઈને પોલીસ કમિશનર જી.એસ.મલિકની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શોભાયાત્રાની સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અમદાવાદ શહેરમાં રામનવમીના પવિત્ર દિવસે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ દ્વારા સમીક્ષા બેઠક યોજાય હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના તમામ PI હાજર રહ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કેશહેરમાં CCTV લગાવવા પ્રોજેકટની ચર્ચા કરવામાં આવી છે. શહેરમાં 14 હજાર CCTV લગાવવામાં આવ્યા છે.

250 જેટલા CCTVની કામગીરી કન્ટ્રોલમાં શરૂ થઈ છે. વધુમાં રામનવમીની શોભાયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં 23 શોભાયાત્રાને મજુરી મળી છે. સંવેદનશીલ વિસ્તારમાં શોભાયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ સાથે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કેઅમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના આતંકને ડામવા પોલીસે એકશન મોડમાં આવી છે.

જેમાં ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોલીસે રીઢા ગુનેગારો સામે પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરી છે..

Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment