અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ એક્શન મોડમાં, તમામ રૂટ પર ફ્લેગ માર્ચ યોજાય...

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે

New Update
અમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ એક્શન મોડમાં, તમામ રૂટ પર ફ્લેગ માર્ચ યોજાય...

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસ એક્શનમાં મોડમાં આવી ચૂકી છે. રથયાત્રા પહેલા પોલીસે સજ્જ બની તમામ રૂટ પર સતત પેટ્રોલિંગ સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

Advertisment W3.CSS

ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પૂર્વે અમદાવાદ પોલીસે પોતાની કામગીરી શરૂ કરી દીધી છે. અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના રૂટમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે સંવેદનસીલ વિસ્તારમાં જેમ કે, દરિયાપુર, શાહપુર, કાલુપુર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની છે. પોલીસ રથયાત્રા દરમ્યાન અસામાજિક તત્વો પર કાર્યવાહી કરશે, ત્યારે સેક્ટર-1ના જેસીપી, ડીસીપી, એસીપી અને પીઆઇ સહિત 200થી વધુ પોલીસ જવાનોએ ફ્લેગ માર્ચ યોજી હતી.