Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યાએ યુવાનો સાથે યોજી બેઠક...

રાજપથ રોડ પર આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે ભાજપ યુવા મોરચાના યુવાનો સાથે બેઠક યોજી સંવાદ કર્યો હતો.

X

ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા. રાજપથ રોડ પર આવેલા પંડિત દીનદયાળ હોલ ખાતે ભાજપ યુવા મોરચાના યુવાનો સાથે બેઠક યોજી સંવાદ કર્યો હતો.

આજરોજ ભાજપ રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ તેજસ્વી સૂર્યા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. તેઓએ બોડકદેવ પંડિત દીનદયાળ હોલ ખાતે ભાજપ યુવા મોરચાના તમામ કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં આગામી ચૂંટણીમાં જે 40 લાખ નવા યુવા વોટર્સ છે, તેમને કેવી રીતે રીઝવવા તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. મોટી સંખ્યામાં આ યુવા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. તેજસ્વી સૂર્યાએ ખાસ કરીને બેરોજગારી, યુવાનોનો કેવી રીતે નિરંતર વિકાસ જે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં થઇ રહ્યો તે બાબતે યુવાનોને અવગત કરવામાં આવ્યા હતા. આ સંવાદ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ, ઉપાધ્યક્ષ નરેશ દેસાઈ સહિતના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story