અમદાવાદ : ભાજપના મહિલા કોર્પોરેટરનો તમાશો, વેકસીનેશન સેન્ટર પર ઉજવ્યો જન્મદિવસ

સત્તાધારી ભાજપના કાર્યકરો જ કરે છે નિયમોનો ઉલાળો, મહિલા કોર્પોરેટરે વેકસીન સેન્ટર પર ઉજવ્યો જન્મદિવસ.

New Update
અમદાવાદ : ભાજપના મહિલા કોર્પોરેટરનો તમાશો, વેકસીનેશન સેન્ટર પર ઉજવ્યો જન્મદિવસ

કોરોનાની બીજી લહેરમાં સર્જાયેલી અવ્યવસ્થાના કારણે સરકારની છબી ખરડાઇ છે તો પણ ભાજપના કાર્યકરો સુધરવાનું નામ લઇ રહયાં નથી. અમદાવાદમાં ભાજપના મહિલા કોર્પોરેટરે વેકસીનેશન સેન્ટર પર કેક કાપી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી. ઉજવણીનો વિડીયો વાયરલ થયાં બાદ સોશિયલ મિડીયામાં કોર્પોરેટર ભારે ટ્રોલ થઇ રહયાં છે.

રાજયમાં કોરોનાના કેસ ભલે ઘટયાં હોય પણ હજી ખતરો ટળ્યો નથી. રાજય સરકાર કોરોનાની બીજી લહેરમાં ખરડાયેલી છબીને સુધારવા માટે તનતોડ મહેનત કરી રહી છે પણ ભાજપના જ કેટલાક આગેવાનો સરકારની મહેનત પર પાણી ફેરવી રહયાં છે. શહેરના એક વેક્સીન સેન્ટર પર મનપાના એક ભાજપના કોર્પોરેટરે જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેર પહેલાં લોકો વેકસીન મુકાવવા માટે દોડધામ કરી રહયાં છે. કલાકો સુધી લાઇનમાં ઉભા રહયાં બાદ વેકસીન માટે નંબર લાગે છે.

આવામાં ભાજપના કોર્પોરેટર દિપ્તી અમરકોટીયાને વેકસીનેશન સેન્ટર પર કેક કાપી જન્મદિવસની ઉજવણીનો અભરખો જાગ્યો હતો. લોકોને પડતી હાલાકીની જાણે પડી ન હોય તેમ કોર્પોરેટરે વેકસીનેશન સેન્ટર પર કેક કાપી પાર્ટીની આબરૂના ધજાગરા ઉડાવી દીધાં છે. જન્મદિવસની ઉજવણી દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોના પણ ધજાગરા ઉડતા જોવા મળ્યા હતાં. સામાન્ય નાગરિકોને આડેધડ દંડ ફટકારતી રાજય સરકાર તેમની જ પાર્ટીના નગરસેવિકા સામે શું પગલાં ભરે છે તે જોવું રહયું..

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.