New Update
/connect-gujarat/media/post_banners/e5565a6f4ec2bae29589cf5071ba0a620bbe215bb0a76042d079ea403e97b386.jpg)
ઉત્તરાયણનો તહેવાર અબાલ - વૃધ્ધ સૌ કોઇને પ્રિ્ય છે. કોરોનાની ત્રીજી લહેર વચ્ચે ઉત્તરાયણના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજના પાવન અવસરે અમદાવાદમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતાં. તેમણે ગૌ માતાની પુજા અર્ચના પણ કરી હતી. આ અવસરે મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન પણ ઝીલ્યું હતું. ભગવાન જગન્નાથના દર્શન બાદ તેઓ તેમના મત વિસ્તાર ઘાટલોડીયામાં ગયા હતાં અને ત્યાં પતંગ ચગાવવાનો લ્હાવો લીધો હતો.