અમદાવાદ : ગુજરાતમાં ભાજપ સરકારના મૂળિયા હલાવવા કોંગ્રેસનું મહાઅધિવેશન, દેશભરમાં કોંગ્રેસને બેઠી કરવા મંથન

અમદાવાદ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે કોંગ્રેસ દ્વારા 2 દિવસીય મહાઅધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજે બેઠકના પ્રથમ દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિતના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

New Update

દેશભરમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા ગુજરાતમાં મંથન શરૂ, કોંગ્રેસ દ્વારા 2 દિવસીય મહાઅધિવેશનનું આયોજન કરાયું

Advertisment

આ વર્ષે મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ તરીકે 100 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પણ છે. બંને મહાનુભાવોનો જન્મ ગુજરાતમાં થયો હતો. તેથી કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે.

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે આજથી કોંગ્રેસની CWCની બેઠકનો પ્રારંભ થયો છે. આ બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પણ અમદાવાદ ખાતે પહોચ્યા છે,  જ્યારે  CWC સભ્યો તેમજ કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, પ્રભારીઓ, પ્રદેશ અધ્યક્ષો, વિપક્ષના નેતા અને અન્ય વરિષ્ઠ નેતાઓનો પણ સમાવેશ થાય છે. CWCની બેઠકના પ્રારંભે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું કે, કોંગ્રેસ 140 વર્ષના ઇતિહાસમાં જે પ્રાંતોમાંથી સૌથી વધુ શક્તિ મળી તેમાં ગુજરાત અવ્વલ છે.

આજે અમે ફરી અહીંથી પ્રેરણા અને શક્તિ લેવા આવ્યા છીએ. અમારી અસલી શક્તિ દેશની એકતા-અખંડિતતા તથા સામાજિક ન્યાયની વિચારધારાને વરેલી છે. આજે તા. 8 એપ્રિલ-2025ના રોજ આયોજિત આ અધિવેશન ગુજરાતમાં કોંગ્રેસ સંગઠનને વધુ મજબૂત બનાવવા અને 2027ની વિધાનસભા ચૂંટણી માટે રોડમેપ તૈયાર કરવાની દિશામાં એક મોટું પગલું હશે, જ્યારે તા. 9 એપ્રિલ-2025ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મુખ્ય અધિવેશન યોજાશે.

જેમાં દેશભરમાંથી 1,700થી વધુ કોંગ્રેસ સમિતિના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ બેઠકમાં અશોક ગેહલોત, સચિન પાયલોટ, પવન ખેરા, હરીશ રાવત, પી.ચિદમ્બરમ. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયા, હિમાચલ પ્રદેશની મુખ્યમંત્રી સુખવિંદરસિંહ સુખુ, ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, ગુજરાત કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતા પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 64 વર્ષ બાદ કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આ અધિવેશનમાં કોંગ્રેસ ગુજરાત અને કેન્દ્રમાં વર્ષોથી સ્થાપિત થઇ ગયેલી ભાજપ સરકારના મૂળિયા હલાવવા માટે એક નવી રણનીતિ તૈયાર કરી રહ્યું છે.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment