અમદાવાદ: કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર શશી થરૂરે ગાંધી આશ્રમમાં બાપુને કર્યા નમન, આગેવાનો સાથે કરી બેઠક

શશી થરૂરે રેંટિયો પણ કાંટયો હતો.ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં લખ્યું હતુ કે બાપુના આશ્રમમાં આવી એક અલગ અનુભૂતિ થાય છે.

New Update
અમદાવાદ: કોંગ્રેસના અધ્યક્ષપદના ઉમેદવાર શશી થરૂરે ગાંધી આશ્રમમાં બાપુને કર્યા નમન, આગેવાનો સાથે કરી બેઠક

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રમુખ પદની ચૂંટણી રોમાંચક બની છે ત્યારે પ્રમુખ પદના દાવેદાર અને દિગ્ગજ નેતા શશી થરૂર આજે અમદાવાદના ગાંધી આશ્રમ પહોંચ્યા હતા જ્યાં તેમણે બાપુને નમન કર્યા હતા ત્યારબાદ હદયકુંજની મુલાકાત લીધી હતી.

શશી થરૂરે રેંટિયો પણ કાંટયો હતો.ગાંધી આશ્રમની મુલાકાત બાદ વિઝિટર બુકમાં લખ્યું હતુ કે બાપુના આશ્રમમાં આવી એક અલગ અનુભૂતિ થાય છે.ગાંધી આશ્રમની મુલાકાત બાદ તેઓ પાલડી સ્થિત કોંગ્રેસ ભવન ખાતે જવા રવાના થયા હતા જ્યાં તેઓએ પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારો અને ડેલિગેટ્સ સાથે બેઠક કરી હતી અને સમર્થન માંગ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ કોંગ્રેસનાં અધ્યક્ષપદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ પણ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.