અમદાવાદ: કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, રાજ્ય સરકાર પર પ્રહાર

New Update
અમદાવાદ: કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ, રાજ્ય સરકાર પર પ્રહાર

આજરોજ અમદાવાદમાં રાજીવગાંધી કોંગ્રેસ ભવન ખાતે કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ જેમા કોંગ્રેસ પ્રદેશ કિસાન સંઘના ચેરમેન દ્નારા સરકાર દ્વારા લગાવેલા ત્રણ એક્ટએ ખેડુત વિરોધી છે. ફાર્મિક એક્ટથી ગુજરાતના ખેડૂતો છેતરાય છે. તે અંતર્ગત આગામી 27 સપ્ટેમ્બર દ્વારા અખિલ ભારતીય કિસાન સંધ સમન્વય અને સંયુકત કિસાન સંઘ મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ બંધના એલાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આ ભારત બંધને સમર્થન આપ્યું છે.

કોંગ્રેસ પ્રદેશ કિસાન સંધ દ્નારા આજરોજ પ્રેસનું આયોજન કરવામાં આવ્યુ જેમાં સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે આ સરકાર ત્રણ ખેડુત વિરોધી કાયદા લાવવામાં આવ્યા છે.જે APMC એક્ટ,આવશ્ય ચીજ વસ્તુ ઘારો,ફાર્મિક એકેટ આમાં ખાસ ફાર્મિક એક્ટથી ખેડુતો છેતરાયા છે. જેમાં ખેડુતો સુપ્રીમ સુધી જવાની સ્થિતિ ઉભી થઇ છે.આવશ્યક ચીજવસ્તુથી સંગ્રહ ખોરીમાં ભારે વધારો થયો છે.જ્યારે APMC એક્ટથી ગુજરાતમાં 15 જેટલી APMC બંધ થવા જઇ રહી છે. જેમાં ગુજરાતમાં 244 APMC માંથી 114 APMCની આવકમાં ધટાડો થયો છે. ભારતમાં ખેડુતો પોતાની હકની લડાઇ માટે છેલ્લા દશ મહિનાથી દિલ્લીની સરહદ ધારણા પર છે. અનેક ખેડુતો અવસાન પામ્યા છે. તેમા છતાં સરકાર દ્નારા અવસામ પામેલા પરિવારને આશ્નાસન આપવાનો સમય નથી પણ અંબાણીના ધરે પુત્રનો જ્ન્મ થાય તો ત્યાં મીઠાઇ ખાવા જાય છે. તેથી આગામી 27 સપ્ટેમ્બર દ્વારા અખિલ ભારતીય કિસાન સંધ સમન્વય અને સંયુકત કિસાન સંધ મોરચા દ્નારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ બંધના એલાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્નારા આ ભારત બંધને સમર્થન આપ્યુ છે.અને તમામ ખેડુતો અમે લોકોને આ ભારત બંઘમાં જોડાવા અપીલ કરી હતી.

Read the Next Article

“તેરા તુઝકો અર્પણ” : સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીં, પણ ભરોસાની નવી ચાવી : DGP વિકાસ સહાય

ગુજરાત પોલીસની “તેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે...

New Update
  • ગુજરાત રાજ્ય માટે અસરકારક સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલ

  • પોલીસનાતેરા તુઝકો અર્પણ” અભિયાનને સાંપડ્યો પ્રતિસાદ

  • સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવામાં સરળતા

  • અનેક ભોગ બનનારને ઉકેલ મેળવવા મદદરૂપ થયું છે પોર્ટલ

  • સાઇબર ક્રાઈમ સામે લડવાની નવી પહેલ :DGP વિકાસ સહાય

સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલતેરા તુઝકો અર્પણ” પહેલ ગુજરાત માટે અસરકારક સાબિત થઈ રહી છે. સામાન્ય જનતાને ટેકનોલોજીની માયાજાળમાં ફસાવી આજે અનેક છેતરપિંડીના કેસો બને છેત્યારે ગુજરાત પોલીસનીતેરા તુઝકો અર્પણ” પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરૂપ થઈ રહી છે. જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ...

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે'સાઈબર ક્રાઈમ રિફંડ પોર્ટલએટલે કેતેરા તુઝકો અર્પણ" અભિયાન શરૂ કર્યું છે. જે ઓનલાઇન ઠગાઈના શિકાર થયેલા લોકોને મદદરૂપ બને છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયએ જણાવ્યુ હતું કેઆ પોર્ટલ ઉપર ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ છે અને ફરિયાદ ઝડપથી પોલીસ સેલ સુધી પહોંચે છે.

જોકેઆ પોર્ટલ ઉપર કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિ સીધી જ ફરિયાદ નોંધાવી શકે છે. જેને સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ટ્રેક કરવામાં આવે છેત્યારબાદ પૈસા પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે. આ ઉપરાંતહેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકાય છે.

આ પોર્ટલની ખાસિયત એ છે કેતે રીઅલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા આપે છે. જેના કારણે નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. અનેક કેસોમાં માત્ર 24થી 48 કલાકમાં પૈસા પાછા મળ્યા છે. ગાંધીનગરના રહેવાસી તબીબ પણ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતાત્યારે સાયબર સેલની મદદથી તેમને 48 કલાકમાં જ તેમના પૈસા પરત મળી ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કેહજારોથી વધુ લોકોને આ પોર્ટલ દ્વારા રાહત મળી ચૂકી છે. તેવામાં સાઇબર ક્રાઈમ સામે લડવાની આ નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીંપણ ભરોસાની નવી ચાવી છે.