અમદાવાદ: ઐતિહાસિક રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરાયું

રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ: ઐતિહાસિક રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરાયું

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઐતિહાસિક રથયાત્રા ધામધૂમથી નીકળવા માટેની તૈયારીઓ નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.1 જુલાઈ 2022ના રોજ નીકળનારી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા શનિવારે રાત્રે સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું..અમદાવાદ: ઐતિહાસિક રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરાયું

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

અમદાવાદમા યોજાતી રથયાત્રા સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ કમરકસી રહી છે. રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના તમામ અધિકારીઓ જેસીપી, ડીસીપી, એસીપી, અને પીઆઇ હાજર રહ્યા હતા. રથયાત્રા પૂર્વે ગુનેગારોમાં ચોક્કસ પ્રકારનો મેસેજ પહોંચે અને તહેવાર દરમિયાન સુલેહ શાંતિ ભંગ ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે પૂર્વ તૈયારી આદરી છે.

તમામ વિસ્તારના પી.આઈને તેમના વિસ્તારમાં આવતી રથયાત્રાનો મેપ લઈને બોલાવ્યા હતા અને તેમના વિસ્તારમાં જ્યારે કાફલો પોહ્ચે ત્યારે તમને સમજવાનું કામ તે પી.આઈ ને કરવાનું રહે છે. આવનારી રથયાત્રા સુખદ રહે અને કોઈપણ પ્રકારના સુલેહ શાંતિ ભંગ વિના જનતા ઐતિહાસિક રથયાત્રાનો લાભ લઇ શકે તે બાબતે તૈયારીઓ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.