અમદાવાદ: ઐતિહાસિક રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરાયું

રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
અમદાવાદ: ઐતિહાસિક રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરાયું

અમદાવાદ શહેરમાં ફરી એકવાર ઐતિહાસિક રથયાત્રા ધામધૂમથી નીકળવા માટેની તૈયારીઓ નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.1 જુલાઈ 2022ના રોજ નીકળનારી રથયાત્રા પૂર્વે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા શનિવારે રાત્રે સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું..અમદાવાદ: ઐતિહાસિક રથયાત્રાનું કાઉન્ટડાઉન શરૂ,પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરાયું

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

અમદાવાદમા યોજાતી રથયાત્રા સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે ત્યારે રથયાત્રામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા પોલીસ કમરકસી રહી છે. રથયાત્રા પૂર્વે સમગ્ર રૂટ પર અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિતના તમામ અધિકારીઓ જેસીપી, ડીસીપી, એસીપી, અને પીઆઇ હાજર રહ્યા હતા. રથયાત્રા પૂર્વે ગુનેગારોમાં ચોક્કસ પ્રકારનો મેસેજ પહોંચે અને તહેવાર દરમિયાન સુલેહ શાંતિ ભંગ ન થાય તે બાબતને ધ્યાનમાં રાખીને પોલીસે પૂર્વ તૈયારી આદરી છે.

તમામ વિસ્તારના પી.આઈને તેમના વિસ્તારમાં આવતી રથયાત્રાનો મેપ લઈને બોલાવ્યા હતા અને તેમના વિસ્તારમાં જ્યારે કાફલો પોહ્ચે ત્યારે તમને સમજવાનું કામ તે પી.આઈ ને કરવાનું રહે છે. આવનારી રથયાત્રા સુખદ રહે અને કોઈપણ પ્રકારના સુલેહ શાંતિ ભંગ વિના જનતા ઐતિહાસિક રથયાત્રાનો લાભ લઇ શકે તે બાબતે તૈયારીઓ અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.