અમદાવાદ: સાયબર ગઠિયાઓ રાજસ્થાનથી કરી રહ્યા છે લોકોને ટાર્ગેટ, 5 આરોપીની ધરપકડ

સાઇબર ક્રાઈમે સોશિયલ મીડિયા મારફતે શોર્ટકટથી રૂપિયા કમાવવાની સ્કીમો ચલાવતી ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update
અમદાવાદ: સાયબર ગઠિયાઓ રાજસ્થાનથી કરી રહ્યા છે લોકોને ટાર્ગેટ, 5 આરોપીની ધરપકડ

અમદાવાદ સાઇબર ક્રાઈમે સોશિયલ મીડિયા મારફતે શોર્ટકટથી રૂપિયા કમાવવાની સ્કીમો ચલાવતી ટોળકીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ સાઇબર ક્રાઈમે સોશિયલ મીડિયા મારફતે શોર્ટકટથી રૂપિયા કમાવવાની સ્કીમો ચલાવતી ટોળકીને ઝડપી પાડી છે. મૂળ રાજસ્થાનની આ ગેંગ વીડિયો લાઈક કરવાના રૂપિયા આપવાના બહાને પહેલા ચાર્જીસના નામે પૈસા પડાવી લેતી હતી.પોલીસ કસ્ટડીમાં આવેલા આરોપીઓનું નામ છે રાજકુમાર યાદવ, ફારૂક હુસેન, ઇમરાન મન્સૂરી, વિશાલ દુધેલીયા, મુકેશ ગોટી આ પાંચે આરોપીઓ પૈકી મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણેય આરોપીઓ રાજસ્થાનમાં અકોલા વિસ્તારમાંથી સોશિયલ મીડિયામાં વીડિયો કે ઈમેજ લાઈક કરવાના બહાને વળતર આપવાનું કહીને છેતરતા હતા. જોકે આ ત્રણ આરોપીઓની ધરપકડ બાદ ગુજરાતના બે આરોપીઓની પણ સંડોવણી સામે આવતા તેમની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી. આ ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો પહેલા વોટ્સએપ ઉપર ફ્રિલાન્સ જોબના મેસેજ કરી એક લિંક મોકલી આપતા અને તે લિંક ઓપન કરતાં તેમાંથી એક ટેલિગ્રામની પ્રોફાઈલ રૂપિયા કમાવા અંગેની આખી જાહેરાત જોવા મળતી અને ઈચ્છુક વ્યક્તિઓને આ ટોળકી તેના સંલગ્ન ગ્રુપોમાં એડ કરી અલગ-અલગ ટાસ્ક લાઈક કરવા માટે સોંપતા હતા. આરોપીઓ વીડિયો લાઈક કરવા માટે એક એકાઉન્ટમાં જુદા-જુદા ચાર્જીસ અને ઓર્થોરાઈઝ કંપનીના જીએસટી પેટે રૂપિયા ભરાવવામાં આવતા હતા. બાદમાં ભોગ બનનાર વ્યક્તિઓ આ ટાસ્કમાં જોડાઈને તેમાંથી વધુ રૂપિયા કમાઈ શકે તેવી લાલચ આપીને તેમના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા પણ જમા કરાવતા. પરંતુ આ રૂપિયા પોતાના એકાઉન્ટમાંથી ઉપાડી નહીં શકતા

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.