અમદાવાદ : દાહોદ ભાજપના પ્રભારી-યુવા મોરચા મહામંત્રીની કોંગ્રેસમાં એન્ટ્રી, ખેસ પહેરાવી આવકાર અપાયો...

દેવગઢ બારીયા ભાજપના આગેવાનોની કોંગ્રેસમાં એન્ટ્રી ભાજપ, પ્રભારી-યુવા મોરચાના મહામંત્રી કોંગ્રેસમાં જોડાયા

New Update
અમદાવાદ : દાહોદ ભાજપના પ્રભારી-યુવા મોરચા મહામંત્રીની કોંગ્રેસમાં એન્ટ્રી, ખેસ પહેરાવી આવકાર અપાયો...

ભાજપના દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના પ્રભારી અને યુવા મોરચાના મહામંત્રીએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે, ત્યારે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નેતા અને કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા હતા.

ગુજરાતમાં વિધાનસભા 2022ની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે રાજકીય માહોલ પણ ગરમાઇ રહ્યો છે. હવે જોડતોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે, ત્યારે દાહોદ ભાજપમાં ચૂંટણી પહેલા મોટું ગાબડું પડ્યું છે. ભાજપના દેવગઢ બારીયા વિધાનસભા બેઠકના પ્રભારી ગોપસિહ કેશરસિહ અને યુવા મોરચાના મહામંત્રી સુનિલ પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે પૂર્વ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા નેતાઓ અને કાર્યકરોને ખેસ પહેરાવી આવકાર્યા હતા. કોંગ્રેસમાં જોડાયેલ ગોપસિંહ છેલ્લા 27 વર્ષથી ભાજપના સક્રિય કાર્યકર છે. આ ઉપરાંત તેઓ જિલ્લા બક્ષી પંચના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, અને દાહોદ ભાજપને મજબૂત કરવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે. આમ ચૂંટણી પહેલા દરેક રાજનૈતિક પાર્ટીમાં આવક-જાવકનો દોર શરૂ થઈ ગયો છે. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, ભાજપની નીતિ ગરીબ વિરોધી છે. જેથી અનેક લોકો કોંગ્રેસમાં જોડાય રહ્યા છે, અને આવનાર સમયમાં રાજ્યમાં પરિવર્તન આવશે તે નક્કી છે.

#Gujarat #Congress #ConnectGujarat #BeyondJustNews #Ahmedabad #DahodBJPINcharge #yuvamorcha #JoinCongress #sukhramrathva
Latest Stories
Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો...

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise