અમદાવાદ : ખોખરાના બજારોમાં સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ, હજી પણ સાવચેતી જરૂરી

કોરોનાથી હજી સાવચેત રહેવું છે જરૂરી, ખોખરા પોલીસ સ્ટેશન તરફથી યોજાયો કાર્યક્રમ

New Update
અમદાવાદ : ખોખરાના બજારોમાં સેનીટાઇઝર અને માસ્કનું વિતરણ, હજી પણ સાવચેતી જરૂરી

અમદાવાદમાં દિવાળીના પર્વની ખરીદી માટે લોકો બહાર નીકળી રહયાં છે પણ મોટાભાગના લોકો માસ્ક પહેરતા નહિ હોવાથી સંક્રમણનો ખતરો રહેલો છે. આવામાં અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશન તરફથી ખરીદી માટે આવતાં લોકોને વિનામુલ્યે માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ કરાયું.

રાજ્યમાં કોરોનાની બીજી લહેર સમાપ્ત થવાના આરે છે સરકાર દ્વારા પણ અનેક છૂટછાટ આપવામાં આવી છે ત્યારે નાગરિકો પણ હવે કોરોના જતો રહ્યો હોઈ તેમ બે ધ્યાન બન્યા છે ત્યારે અમદાવાદના શહેરમાં ખોખરા પોલીસ સ્ટેશન અને ખોખરા યુથ ફેડરેશન દ્વારા મુખ્ય બજારોમાં સેનેટાઈઝ ની બોટલો અને માસ્કનું વિતરણ કરાયું હતું. દિવાળીમાં ખરીદી માટે ઉમટી રહેલી ભીડ ને ધ્યાન મા રાખી ફેરિયાઓ, વેપારીઓ તેમજ ખરીદી કરવા આવતા નાગરિકોને હજી પણ કોરોનાથી સાવધ રહેવા તાકીદ કરાય હતી. ખાખરાના પીઆઇ વાય.એસ.ગામિત, પીએસઆઇ હડીયા તથા શી ટીમના જવાનોએ મુખ્ય બજારમાં જઇ સેનીટાઇઝર તથા માસ્કનું વિતરણ કર્યું હતું. ખોખરા યુથ ફેડરેશનના આગેવાન અને કોર્પોરેટર કમલેશ પટેલ સાથે સંસ્થાના કાર્યકરો પણ આ જાગૃતિ અભિયાનમાં સહભાગી બન્યાં હતાં.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.