અમદાવાદ : નશામાં ધૂત કાર ચાલકે ચારથી પાંચ વાહનોને લીધા અડફેટે,તો સુરતમાં મહિલા કાર ચાલકે ડિવાઇડરમાં કાર અથાડી

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટમાં લીધા હતા,અને લોકટોળાએ નશેબાજ કાર ચાલકને મેથી પાક ચખાડતા તેને ચપ્પુ બતાવીને લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો,

New Update
  • હિટ એન્ડ રન અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવની ઘટનામાં વધારો

  • અમદાવાદમાં નશેબાજ નબીરાએ સર્જ્યો અકસ્માત

  • વસ્ત્રાપુરમાં નશેબાજે ચારથી પાંચ વાહનોને લીધા અડફેટે

  • નશામાં ધૂત કાર ચાલકની લોકોએ કરી ધોલાઈ

  • જ્યારે સુરતમાં મહિલા કાર ચાલકને નડ્યો અકસ્માત

  • મહિલાનો સ્ટિયરિંગ પર કાબુ ન રહેતા કાર ડિવાઇડરમાં ભટકાય  

અમદાવાદનાં વસ્ત્રાપુરમાં નશામાં ધૂત કાર ચાલકે ચારથી પાંચ વાહનોને અડફેટમાં લીધા હતા,અને લોકટોળાએ નશેબાજ કાર ચાલકને મેથી પાક ચખાડતા તેને ચપ્પુ બતાવીને લોકોમાં ભયનો માહોલ સર્જી દીધો હતો,જ્યારે બીજી તરફ સુરતમાં એક મહિલા કાર ચાલકે ડિવાઇડરમાં કાર અથાડતા અકસ્માત સર્જ્યો હતો.

અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા હિમાલયા મોલ નજીક એક થાર કાર ચાલકે નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો.તેણે 4થી 5 વાહનોને અડફેટે લીધા હતા. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે છરી બતાવી લોકોને ડરાવ્યા અને મારામારી કરી હતી. જોકે ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ દરમિયાન ક્રોધે ભરાયેલા ટોળાએ કાર ચાલકને ઘેરી લઇને મેથીપાક પણ ચખાડ્યો હતો. પોલીસે કાર ચાલક વિરૂદ્ધ મારામારી અને ડ્રિન્ક એન્ડ ડ્રાઇવનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.