અમદાવાદ : બોપલમાં વૃદ્ધાની કેર ટેકર રૂ.8.50 લાખના દાગીના ચોરી તિજોરી સાફ કરીને થઈ ફરાર,પોલીસે કરી ચોર દંપતીની ધરપકડ

સારસંભાળ માટે મહિલાએ ખાનગી એજન્સી મારફતે કેર ટેકરને નોકરી પર રાખી હતી,જોકે તેણે વૃદ્ધાની સારસંભાળની સાથે ઘરમાં હાથ સફાઈ કરીને રૂપિયા 8.50 લાખના કિંમતી દાગીનાની ચોરી કરી

New Update
  • કેર ટેકર રાખતા પહેલા રહો સાવધાન

  • વૃદ્ધાની સારસંભાળ માટે રાખી હતી કેર ટેકર

  • વૃધ્ધાની કેર ટેકરે કરી ચોરી

  • 8.50 લાખના દાગીનાની કરી હતી ચોરી

  • પોલીસે કેર ટેકર દંપતીની કરી ધરપકડ 

Advertisment

અમદાવાદનાં બોપલ વિસ્તારમાં વૃદ્ધ સાસુની તબિયત ખરાબ હોવાથી તેમની સારસંભાળ માટે મહિલાએ ખાનગી એજન્સી મારફતે કેર ટેકરને નોકરી પર રાખી હતી,જોકે તેણે વૃદ્ધાની સારસંભાળની સાથે ઘરમાં હાથ સફાઈ કરીને રૂપિયા 8.50 લાખના કિંમતી દાગીનાની ચોરી કરી હતી.

 અમદાવાદના બોપલમાં આરોહી એલિઝમ ખાતે રહેતા સારીકા પાંચપોરનાં સાસુ રચનાબેનને હૃદયની બીમારી છે,તેઓનું ઓપરેશન કરાવવા જવાનું હોવાથી સાસુનાં તેમજ તેઓના પોતાનાં દાગીનાં ઘરમાં બેડરૂમનાં કબાટમાં મુક્યા હતા.

રચનાબેનનું હૃદયનું ઓપરેશન કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ તેઓની સારસંભાળ માટે પી.એલ.એસ.હીલ એટ હોમ પ્રાઈવેટ લીમીટેડ કંપની મારફતે નિકીતા દાયમાને કેર ટેકર તરીકે રાખી હતી. જોકે તેઓની સાસુ રચનાબેનની તબિયત સારી થતા તેઓએ દાગીનાં પહેરવા માટે માંગ્યા ત્યારે તેઓએ ઘરમાં તપાસ કરતા દાગીના મળી ન  આવતા રૂપિયા 8.50 લાખના દાગીનાની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ચોરીની ઘટનામાં તપાસ કરીને કેર ટેકર નિકિતા દાયમા પર શંકા વ્યક્ત કરી હતી,અને નિકિતા દાયમા તેમજ તેના પતિ માંગીલાલ દાયમાની ધરપકડ કરીને સઘન પૂછપરછ કરતા ચોરીનો ભેદ ઉકેલાયો હતો,અને નિકિતા પતિ માંગીલાલના કહેવા મુજબ દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી.હાલ બંનેની ધરપકડ કરીને પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment