અમદાવાદ : ઇલેકટ્રીક સંચાલિત વાહનો પર મુકાયો ભાર, મણીનગરમાં ચાર ચાર્જિંગ મશીન મુકાયાં

પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહયાં છે, રાજય સરકાર ઇલેકટ્રીક વાહનો પર આપે છે સબસીડી.

New Update
અમદાવાદ : ઇલેકટ્રીક સંચાલિત વાહનો પર મુકાયો ભાર, મણીનગરમાં ચાર ચાર્જિંગ મશીન મુકાયાં

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે બળી રહયાં છે તેવામાં અમદાવાદના મણીનગર વિસ્તારમાં ચાર ચાર્જિંગ મશીન મુકવામાં આવ્યાં છે. સરકારનું આ પગલું આગામી દિવસો ઇલેકટ્રીક વાહનોના હશે તેના તરફ સ્પષ્ટ સંકેત આપી રહયાં છે.

દેશના મોટાભાગના શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિ લિટર 100 રૂપિયાને પાર કરી ગયાં છે. આવા સંજોગોમાં ગરીબ અને મધ્યમવર્ગને આર્થિક રીતે બોજો પડી રહયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની આશાઓ હવે ધીમે ધીમે ઘટી રહી છે. તો બીજી તરફ સરકાર પણ ભાવો ઘટાડવાના બદલે ઇલેકટ્રીક વાહનો પર ભાર મુકી રહી છે. અમદાવાદશહેરમાં હવે આ ઇલેક્ટ્રિક કાર ચાર્જ કરવા માટે મહાનગરપાલિકા તરફથી ચાર્જિંગ મશીન મુકવામાં આવ્યાં છે.

ગુજરાતને દેશ માટે રોલ મોડેલ માનવામાં આવે છે અહીં અનેક વિકાસના કાર્યો દેશને નવી રાહ આપે છે. ખાસ કરીને અમદાવાદ જે રાજ્યનું સૌથી મોટું મહાનગર છે તે ખરા અર્થમાં સ્માર્ટ સીટી બનવા ડગ માંડી રહયું છે. ખાનગી કંપનીના સહયોગથી મુકાયેલાં નવા ચાર્જિંગ મશીનથી કારની બેટરી 8 કલાકમાં સંપૂર્ણ ચાર્જ થશે. 8 કલાક ચાર્જ થયેલ બેટરી 400 કિમી સુધી નોન સ્ટોપ ચાલે તો એક કીલોમીટરની સવારી માત્ર એક રૂપિયામાં પડી રહેશે. કદાચ આગામી દિવસોમાં રસ્તાઓ પર દોડતા વાહનોમાં ઇલેકટ્રીક વાહનોની સંખ્યામાં વધારો થાય તો નવાઇ નહી.

Read the Next Article

અમદાવાદ : પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવકોના મોત, પોલીસ તપાસ શરૂ...

મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ  કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

New Update
  • નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત

  • પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી

  • મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

  • ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત

  • ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતાજ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.

ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છેજ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Latest Stories