અમદાવાદ:પ્રખ્યાત સંગીતકાર પ્રિયા સરૈયાએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી,ગીત-સંગીતની અનેક વાતો જણાવી

બૉલીવુડના પ્રખ્યાત સંગીતકાર પ્રિયા સરૈયા અમદાવાદની મુલાકાતે પહોંચી હતી જ્યાં તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી

New Update
અમદાવાદ:પ્રખ્યાત સંગીતકાર પ્રિયા સરૈયાએ વિવિધ કાર્યક્રમોમાં આપી હાજરી,ગીત-સંગીતની અનેક વાતો જણાવી

બૉલીવુડના પ્રખ્યાત સંગીતકાર પ્રિયા સરૈયા અમદાવાદની મુલાકાતે પહોંચી હતી જ્યાં તેઓએ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી

Advertisment

પ્રિયા સરૈયા બોલીવુડની પ્લેબેક સિંગર, સંગીતકાર અને પ્રખ્યાત ગીતકાર છે. પ્રિય સરૈયાએ ગાંધર્વ મહાવિદ્યાલય મુંબઇમાંથી હિન્દુસ્તાની શાસ્ત્રીય ગાયક અને લંડનની ટ્રિનિટી કોલેજમાંથી પશ્ચિમી સંગીતની વ્યવસાયિક તાલીમ લીધી છે. પ્રિયા ગોલ્ડન એરાથી લઈને સૂફી અને હિન્દુસ્તાની ક્લાસિકલ સુધીના સંગીતમાં વૈવિધ્યસભર સ્વાદ ધરાવે છે. પ્રિયાએ 5 વર્ષની ઉંમરે હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું હતું.આંતર-શાળા સ્પર્ધાઓમાં ભાગ લેવો.પદ્મશ્રી કલ્યાણજી-આણંદજી એક સમયે શાળાની સ્પર્ધામાં નિર્ણાયક હતા અને આ યુવા પ્રતિભાને જોઈ પ્રિયા તેમના જૂથ "લિટલ સ્ટાર્સ માં જોડાઈ અને પ્રિયાની વ્યાવસાયિક ગાયન કારકિર્દીની શરૂઆત કરી જ્યાં પ્રિયા 6 વર્ષની ઉંમરે લિલ ગીગ્સ કરતી વખતે વિશ્વભરમાં પ્રવાસ કરતી હતી. પ્રિયા હાલમાં બોલીવુડમાં સગીતકાર તરીકે ખુબજ સારું નામ ધરાવે છે. ખાસ કરીને તે આ પાયરસી અને કોપીરાઇટ્સ પર સંગીતકારોને કેવી રીતે બચવું તે પણ આ આઈપીઆરએસ સંસ્થા ધ્વારા સમજાવે છે.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment