અમદાવાદ : ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે તો નહીં ભરે બિલ, AAPનો સરકારને પડકાર

ગુજરાતમાં ખેડૂતોને મળતી વીજળી મુદ્દે વિપક્ષ સહિતના રાજકીય પક્ષોએ સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે,

New Update
અમદાવાદ : ખેડૂતોને 12 કલાક વીજળી નહીં મળે તો નહીં ભરે બિલ, AAPનો સરકારને પડકાર

ગુજરાતમાં ખેડૂતોને મળતી વીજળી મુદ્દે વિપક્ષ સહિતના રાજકીય પક્ષોએ સરકારને ઘેરવાનો પ્રયાસ શરૂ કર્યો છે, ત્યારે ખેડૂતોને નિયમિત પણે મળતી વીજળી મામલે અમદાવાદમાં આમ આદમી પાર્ટી દ્વારા સરકાર સામે આકરા શાબ્દિક પ્રહારો કરાયા હતા.

ગુજરાતના ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી નહીં મળતા ઉનાળામાં પાકનું વાવેતર પણ પૂરતા પ્રમાણમાં નથી થતું. ઉનાળામાં ફક્ત ઘાસચારાનું વાવેતર વધુ થાય છે. જોકે, વીજળી નહીં મળવાથી ખેડૂતોને પાણી મેળવવા ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વર્ષ 2003થી ખેડૂતોને અપાતી વીજળીના સમયમાં ઘટાડો કરાયો છે. જેમાં 8 કલાકથી હવે 6 કલાક વીજળી આપવામાં આવી રહી છે. ગુજરાતની 56 ટકા વસ્તી આ મુશ્કેલીનો સામનો કરી રહી છે,

ત્યારે ગુજરાતમાં જ્યાં સુધી 16 કે, 12 કલાક અવિરત પુરવઠો ખેડૂતોને નહીં મળે ત્યાં સુધી તેઓ વીજ બિલ નહિ ભરે તેવો આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકારને પડકાર ફેંક્યો છે. જો વીજ કંપની કનેક્શન કાપશે તો આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓ ફરી કનેક્શન જોડી આપશે. અન્ય રાજ્યોમાં મફત વીજળી છે, તો ગુજરાતમાં વીજળી મફત કેમ નહીં આપવાની માંગ ઉઠી છે. આપ કિસાન સંઘ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે, રાજ્યની ભાજપા સરકાર માત્ર તાયફા કરે છે. રાજ્યના ખેડૂતોને ઈરાદાપૂર્વક હેરાન કરાતા ખેડૂતોની હાલત દયનીય બની છે. જોકે, છેલ્લા ઉપાય તરીકે ગુજરાતને અન્ય રાજ્યો સાથે જોડતા નેશનલ હાઇવે પણ ચક્કાજામ કરવા AAP દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Read the Next Article

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ, ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ

અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

New Update
AMADAVAD PALIN RAD

ગયા અઠવાડિયે અમદાવાદમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટના બાદ, ઘણી સાવધાની રાખવામાં આવી રહી છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ રદ કરવામાં આવી છે કારણ કે તેમાં ટેકઓફ પહેલાં ખામી સર્જાઈ હતી. જોકે, ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

વિમાન દુર્ઘટના પછી પહેલીવાર એર ઇન્ડિયાની ફ્લાઇટ (AI-159) લંડન જતી હતી, પરંતુ પ્રસ્થાન પહેલાં, ફ્લાઇટની તપાસ કરવામાં આવી અને તેમાં ટેકનિકલ ખામી જોવા મળી અને પછી તેને ફ્લાઇટ માટે રદ કરવામાં આવી. આ ફ્લાઇટ ક્યારે ઉડશે તે અંગે કોઈ માહિતી નથી. આ ફ્લાઇટ કાલે ઉડશે કે નહીં તે અંગે કંઈ કહેવામાં આવ્યું નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટેકઓફ પહેલાં ફ્લાઇટમાં ખામી જોવા મળી હતી, જેના પછી ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જોકે, ફ્લાઇટ રદ થવાને કારણે ત્યાં હાજર ઘણા મુસાફરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ ફ્લાઇટમાં મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે.

ફ્લાઇટ રદ કરવા અંગે મુસાફરોએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયાની ટીમે જણાવ્યું હતું કે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. AI 171 ને બદલે, હવે પ્લેનને AI 159 નંબર આપવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ આજે બપોરે 1:10 વાગ્યે ઉપડવાની હતી. પરંતુ સવારથી ફ્લાઇટ મોડી પડી રહી હતી. જોકે, હવે ખામીને કારણે આ ફ્લાઇટ રદ કરવામાં આવી છે.ગયા અઠવાડિયે ગુરુવારે અમદાવાદના મેઘનગરમાં થયેલા વિમાન દુર્ઘટના બાદ, એર ઇન્ડિયાની ફ્લાઇટ્સને સતત નુકસાન થઈ રહ્યું છે.

Latest Stories