અમદાવાદ : ગણેશ પ્રતિમાઓની ખરીદી માટે છેલ્લી ઘડીએ ધસારો, માટીની મુર્તિઓની માંગ વધી

દસ દિવસનું આતિથ્ય માણવા આવ્યાં ગણપતિ બાપા, ગુલબાઇના ટેકરા વિસ્તારમાં ભરાય છે મુર્તિઓનું બજાર.

New Update
અમદાવાદ : ગણેશ પ્રતિમાઓની ખરીદી માટે છેલ્લી ઘડીએ ધસારો, માટીની મુર્તિઓની માંગ વધી

અમદાવાદના ગુલબાઇના ટેકરા વિસ્તારમાં ભરાતાં મુર્તિ બજારમાં છેલ્લી ઘડીની ઘરાકી નીકળી હતી. સરકારે આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી અને ડીજેને છુટ આપતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

ગત વર્ષે ગુજરાતમાં જ નહિ પણ દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી પર પાબંધી લગાવવામાં આવી હતી. પરંતુ આ વખતે કોરોના કેસમાં ઘટાડો થતા આ વખતે નિયમો સાથે ગણપતિ મહોત્સવની પરવાનગી આપવામાં આવી છે. અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તાર ગણેશજીની મૂર્તિઓ માટે જાણીતી જગ્યા ગણાય છે. દેશભરમાંથી લોકો ગુલબાઇના ટેકરા વિસ્તારના કારીગરો પાસે મુર્તિઓ બનાવવાનો આગ્રહ રાખે છે. દર વર્ષે ગુલબાઇના ટેકરા વિસ્તારમાં લોકોની ભીડ જામે છે પણ પાછલા વર્ષોની સરખામણીએ આ વખતે ભીડ ઓછી જોવા મળી હતી.

સરકારે જાહેર સ્થળોએ ચાર ફુટ અને ઘરમાં બે ફુટથી વધારે ઉંચાઇ ધરાવતી મુર્તિઓની સ્થાપના નહિ કરવા સુચના આપી છે. મુર્તિઓની ઉંચાઇ વધારે રાખવાની નહિ હોવાથી લોકોએ માટીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ ખરીદવામાં ભારે રસ દાખવ્યો છે. ગણેશજીની મુર્તિઓનું વિસર્જન પણ કૃત્રિમ કુંડમાં કરવાનું હોવાથી માટીની પ્રતિમાઓ લોકોને વધારે અનુકુળ લાગી રહી છે.

કોરોનાના કારણે લોકોમાં ફેલાયેલો ભય હવે ઓછો થઇ રહયો છે અને તહેવારોની ઉજવણીની રંગત પાછી ફરી છે. રાજયમાં ગણેશ ચતુર્થીના દિવસે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. 10 દિવસનું આતિથ્ય માણી દુંદાળા દેવ વિદાય લેશે પરંતુ ત્યાં સુધી સર્વત્ર ભકિતસભર માહોલ જોવા મળી રહયો છે.

Read the Next Article

અમદાવાદ : પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારતા મોપેડ સવાર 2 યુવકોના મોત, પોલીસ તપાસ શરૂ...

મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલ  કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

New Update
  • નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત

  • પૂરપાટ ઝડપે ધસી આવેલ કારના ચાલકે ટક્કર મારી

  • મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા

  • ભંયકર અકસ્માત સર્જાતા 2 યુવકોના નીપજ્યાં છે મોત

  • ફરાર કારચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી પોલીસ તપાસ શરૂ

અમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં કાર અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાતા 2 યુવકોના મોત નીપજ્યાં હતાજ્યારે ફરાર કાર ચાલક વિરુદ્ધ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારઅમદાવાદ શહેરના નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીBRTS બસ સ્ટેશન પાસે ગત તા. 10 ઓગસ્ટની મોડીરાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાંGJ-01-PX-9355 નંબરની મોપેડ પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને પૂરપાટ ઝડપે ધસી આવેલGJ-27-DM-9702 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જેમાં મોપેડ સવાર બન્ને યુવકો 100 ફૂટ દૂર સુધી ફંગોળાયા હતા.

ત્યારે ગંભીર ઇજાના મોપેડ પર સવાર અકરમ કુરેશીનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુંજ્યારે અશફાક અજમેરીને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં હતોજ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગંભીર અકસ્માતમાં બન્ને યુવકના મોત નીપજ્યાં છેજ્યારે અકસ્માત બાદ કારચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.