અમદાવાદ : ગણેશ પ્રતિમાઓની ખરીદી માટે છેલ્લી ઘડીએ ધસારો, માટીની મુર્તિઓની માંગ વધી

દસ દિવસનું આતિથ્ય માણવા આવ્યાં ગણપતિ બાપા, ગુલબાઇના ટેકરા વિસ્તારમાં ભરાય છે મુર્તિઓનું બજાર.

New Update
અમદાવાદ : ગણેશ પ્રતિમાઓની ખરીદી માટે છેલ્લી ઘડીએ ધસારો, માટીની મુર્તિઓની માંગ વધી

અમદાવાદના ગુલબાઇના ટેકરા વિસ્તારમાં ભરાતાં મુર્તિ બજારમાં છેલ્લી ઘડીની ઘરાકી નીકળી હતી. સરકારે આ વર્ષે ગણેશ મહોત્સવની ઉજવણી અને ડીજેને છુટ આપતાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

Advertisment

ગત વર્ષે ગુજરાતમાં જ નહિ પણ દેશભરમાં ગણેશ મહોત્સવની ઉજવણી પર પાબંધી લગાવવામાં આવી હતી. પરંતુ આ વખતે કોરોના કેસમાં ઘટાડો થતા આ વખતે નિયમો સાથે ગણપતિ મહોત્સવની પરવાનગી આપવામાં આવી છે. અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તાર ગણેશજીની મૂર્તિઓ માટે જાણીતી જગ્યા ગણાય છે. દેશભરમાંથી લોકો ગુલબાઇના ટેકરા વિસ્તારના કારીગરો પાસે મુર્તિઓ બનાવવાનો આગ્રહ રાખે છે. દર વર્ષે ગુલબાઇના ટેકરા વિસ્તારમાં લોકોની ભીડ જામે છે પણ પાછલા વર્ષોની સરખામણીએ આ વખતે ભીડ ઓછી જોવા મળી હતી.

સરકારે જાહેર સ્થળોએ ચાર ફુટ અને ઘરમાં બે ફુટથી વધારે ઉંચાઇ ધરાવતી મુર્તિઓની સ્થાપના નહિ કરવા સુચના આપી છે. મુર્તિઓની ઉંચાઇ વધારે રાખવાની નહિ હોવાથી લોકોએ માટીમાંથી બનેલી ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓ ખરીદવામાં ભારે રસ દાખવ્યો છે. ગણેશજીની મુર્તિઓનું વિસર્જન પણ કૃત્રિમ કુંડમાં કરવાનું હોવાથી માટીની પ્રતિમાઓ લોકોને વધારે અનુકુળ લાગી રહી છે.

કોરોનાના કારણે લોકોમાં ફેલાયેલો ભય હવે ઓછો થઇ રહયો છે અને તહેવારોની ઉજવણીની રંગત પાછી ફરી છે. રાજયમાં ગણેશ ચતુર્થીના દિવસે દુંદાળા દેવની સ્થાપના કરવામાં આવી છે. 10 દિવસનું આતિથ્ય માણી દુંદાળા દેવ વિદાય લેશે પરંતુ ત્યાં સુધી સર્વત્ર ભકિતસભર માહોલ જોવા મળી રહયો છે.

Advertisment
Read the Next Article

અમદાવાદ : ચંડોળા ડિમોલિશનનો બીજો તબક્કો,ચાર દિવસ ચાલશે કામગીરી, ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે.

New Update
  • ચંડોળા તળાવ પાસે ડિમોલિશનનો બીજો તબક્કો

  • ત્રણ હજારથી વધુ પોલીસ જવાન તૈનાત

  • 35થી વધુ જેસીબી મશીનનો ખડકલો

  • ચાર દિવસ ચાલશે ડિમોલિશનની કામગીરી

  • ડિમોલિશન પૂર્ણ થયા બાદ બાઉન્ડ્રી વોલ બનશે

Advertisment

અમદાવાદના ચંડોળા તળાવ પાસે આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે,તેમ જાણવા મળ્યું છે.

અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવાના પહેલા તબક્કામાં આશરે દોઢ લાખ ચોરસ મીટર જમીન ખાલી કરાવવામાં આવી હતી. એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થયો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. ચાર દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

ડિમોલિશનની કાર્યવાહી સવારે સાતથી બપોરના એક તથા બપોરે ત્રણથી સાંજના છ વાગ્યા સુધી ચાલશે. જેના માટે 35થી વધુ જેસીબીનો ખડકલો કરી દેવાયો છે. અસરગ્રસ્તોને ખસેડવા માટે AMTSની બસો તથા મેડિકલ ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. બીજા તબક્કાનું ડિમોલિશન ચાર દિવસ સુધી ચાલશેતે પછી કાટમાળ હટાવ્યા બાદ સરકારી જમીનની આસપાસ બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું છેકે ડિમોલિશનની કાર્યવાહીમાં ત્રણ હજાર પોલીસ કર્મચારી, SRPની 25 કંપનીઓ બંદોબસ્ત માટે તૈનાત રહેશે. બીજા તબક્કામાં અઢી લાખ ચોરસ મીટર જમીન પરનું દબાણ દૂર કરવામાં આવશે.

Advertisment