અમદાવાદ: ગુજરાતીઓએ માસ્ક ન પહેર્યો અને દોઢ વર્ષમાં રૂ.294 કરોડનો દંડ ચુકવ્યો

અમે ગુજરાતી કદી ના સુધરીએ? કેમ કે કરોડો રૂપિયાનો દંડ ચૂકવીશું પરંતુ માસ્ક નહીં પહેરીએ. ગુજરાતીઓએ દોઢ વર્ષમાં 294 કરોડનો દંડ ભોગવી ચુક્યા છે

New Update
અમદાવાદ: ગુજરાતીઓએ માસ્ક ન પહેર્યો અને દોઢ વર્ષમાં રૂ.294 કરોડનો દંડ ચુકવ્યો

અમે ગુજરાતી કદી ના સુધરીએ? કેમ કે કરોડો રૂપિયાનો દંડ ચૂકવીશું પરંતુ માસ્ક નહીં પહેરીએ. ગુજરાતીઓએ દોઢ વર્ષમાં 294 કરોડનો દંડ ભોગવી ચુક્યા છે પરંતુ હજી પણ ગુજરાતમાં લોકો માસ્ક પહેરવામાં આનાકાની કરતા નજરે પડી રહ્યા છે

ગુજરાતમાં માસ્ક ન પહેરતા લોકો પાસેથી પોલીસે અત્યાર સુધીમાં 294 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જૂન 2020 થી 2 ડિસેમ્બર 2021 સુધીમાં 294 કરોડ રૂપિયાનો દંડ ભોગવી ચુક્યા છે. તેમ છતાં ગુજરાતીઓ લહેરી લાલા રહે છે. આટઆટલો દંડ આપ્યા બાદ પણ હજી માસ્ક તો અમે નહિ પહેરીએ એ પ્રણ સાથે આગળ વધી રહ્યા હોય એવુ જ લાગે છે. જે દંડ ચુકવ્યો છે તેમાંથી 13 કરોડ રૂપિયાથી ઓક્સિજન પ્લાન્ટ બનાવવામાં આવ્યા છે. કહેવાય છે કે જાન્યુઆરી મહિનામાં ત્રીજી લહેર આવવાની પુરી શક્યતા છે તેમ છતાં હજી લોકો માસ્ક નથી પહેરતા અને જો પોલીસ કડકાઈ કરે અને દંડ વસુલે તો તેમની સાથે માથાકૂટ કરવામાં આવે છે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.