અમદાવાદ: હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલનું કર્યું નિરીક્ષણ, જુઓ શું છે પ્રોજેકટ

સિગ્નલ સ્કૂલનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું

New Update
અમદાવાદ: હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલનું કર્યું નિરીક્ષણ, જુઓ શું છે પ્રોજેકટ

અમદાવાદમાં સિગ્નલ સ્કૂલનો પાયલોટ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આજરોજ ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું

રાજ્યમાં અમદાવાદમાં સિગ્નલ સ્કૂલ શરુ કરવામાં આવી છે ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટના ન્યાયાધીશ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલનું નિરીક્ષણ કર્યું હતું..અમદાવાદ શહેરમાં બાળકો ભિક્ષા નહિ પરંતુ શિક્ષા માંગે તે માટે આ પાયલોટ પ્રોજેકટ શરુ કરવામાં આવ્યો છે ત્યારે આજે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સહીત 2 જજ સિગંલ સ્કૂલની મુલાકાતે પોહ્ચ્યા હતા અહીં તેમણે અભ્યાસ કરતા બાળકો સાથે વાત પણ કરી અને શિક્ષણ કેવું મળે છે તેની માહિતી મેળવી હતી તો બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો સાથે પણ વાતચીત કરી હતી. બાળકો સ્કૂલમાં અભ્યાસ કરે તે માટે 5000 રૂપિયાના બોન્ડ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર લોચન શહેરાએ જણાવ્યું હતું કે 130 જેટલા બાળકો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા તેમને ભણાવવામાં આવી રહયા છે આખો પ્રોજેક્ટ માર્ચ મહિનામાં શરુ કરવામાં આવ્યો છે પણ 1 મહિનામાં બાળકો ઘણું શીખ્યા છે અભ્યાસ બાદ બાળકોને નવા સત્રમાં રૅગ્યુરલ સ્કૂલમાં એડમિશન કરાવવામાં આવશે

Read the Next Article

ભરૂચ: સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને ભરતી અન્વયે નિમણૂંકપત્ર એનાયત કરાયા

શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે.

New Update
RS Dalal Highschool
સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે ભરૂચ જિલ્લામાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 35 જગ્યાઓ ખાલી હતી. આ તમામ ખાલી જગ્યાઓ પર શિક્ષક સહાયકોએ શાળાઓ પસંદ કરી છે. આ તમામ ઉમેદવારોને આજરોજ  આર.એસ દલાલ હાઈસ્કૂલ, ભરૂચ ખાતે  શિક્ષણાધિકારી સ્વાતિબા કે. રાઓલ તેમજ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિના સભ્ય પ્રવિણસિંહ રણાના વરદ હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા.સાથે સાથે તેઓ શિક્ષણ જગતમાં પોતાની ઉત્કૃષ્ટ સેવાઓ આપે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી