અમદાવાદ: ગુજરાતમાં પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગશે, જુઓ કોણે ઉચ્ચારી ચીમકી
ગુજરાતમાં પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગાવી દેવાની ધમકી હિન્દુ રક્ત પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષે આપતા વિવાદ જોવા મળી રહયો છે
BY Connect Gujarat Desk18 Jan 2023 8:31 AM GMT
X
Connect Gujarat Desk18 Jan 2023 8:31 AM GMT
ગુજરાતમાં પઠાણ ફિલ્મ રીલીઝ થશે તો થિયેટર સળગાવી દેવાની ધમકી હિન્દુ રક્ત પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષે આપતા વિવાદ જોવા મળી રહયો છે
દેશભરમાં ફિલ્મ પઠાણ સામે હિન્દુ સંગઠનો વિરોધ કરી રહ્યા છે અને ફિલ્મ રિલિજ નહીં કરવાની ચેતવણી પણ આપી રહ્યા છે ત્યારે 25 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલિજ થવાની છે ત્યારે ફરીવાર વિવાદ વધે તેવી શક્યતા છે ત્યારે ગુજરાતમાં જો આ ફિલ્મ રીલીજ થસે તો સિનેમા સળગાવી દેવાની ધમકી ત્યારે હિન્દુ રક્ત પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ સન્ની શાહે આપી છે
તો બીજીબાજુ ગુજરાત મલ્ટિપ્લેક્સ એસો.ના પ્રમુખ મનુભાઈ પટેલે સરકારને એક આવેદનપત્ર આપ્યું છે જેમાં સુરક્ષાને લઈ રજૂઆત કરવામાં આવી છે.આમ ફિલ્મ રિલિજની તારીખ પહેલા રાજ્યમાં પઠાણ ફિલ્મને લઈ વિરોધ શરૂ થઈ ગયો છે
Next Story