અમદાવાદ : જમાઈને વ્યાજે આપેલા લાખો રૂપિયા માટે સાસરિયાઓની પઠાણી ઉઘરાણી, જમાઈએ કર્યો આપઘાતનો પ્રયાસ

જમાઈને લાખો રૂપિયા વ્યાજે આપી સાસરિયાઓએ આપ્યો ત્રાસ કંટાળી જઈ 11માં માળેથી જમાઈએ કૂદી કર્યો આપઘાતનો પ્રયાસ

New Update
અમદાવાદ : જમાઈને વ્યાજે આપેલા લાખો રૂપિયા માટે સાસરિયાઓની પઠાણી ઉઘરાણી, જમાઈએ કર્યો આપઘાતનો પ્રયાસ

તમે, અત્યાર સુધીમાં વેપારીઓ વ્યાજખોરોના ત્રાસનો ભોગ બન્યા હોય તેવું સાંભળ્યું હશે. પરંતુ કોઈ જમાઈ વ્યાજખોર પત્ની, સાળી અને સસરાના ત્રાસનો ભોગ બન્યો હોય તેવી ઘટના પહેલી વાર પ્રકાશમાં આવી છે. અમદાવાદ શહેરની એક હોસ્પિટલના બિછાને પડેલ આ વ્યક્તિ છે ધ્રુવ પટેલ. ધ્રુવ પટેલને હાલ શરીરના અલગ અલગ ભાગોમાં 9 જેટલા ફ્રેક્ચર થતા સર્જરી ચાલી રહી છે. આવું થવા પાછળનું કારણ તેમના સાસરિયાઓ છે, જેઓની હાલ ધરપકડ કરાઈ છે.

ધ્રુવ પટેલ પત્ની અને બાળક સાથે અલગ રહે છે. ધ્રુવ પટેલને આર્થિક તંગી આવતા તેઓએ પત્ની, સાળી અને સસરા પાસેથી અઢી ટકાના વ્યાજે 10થી 12 લાખ રૂપિયા લીધા હતા. જોકે, પાંચેક વર્ષમાં તેઓએ મૂડી અને સાથે મૂડી કરતા પણ વધારે વ્યાજ ચૂકવી દીધું હતું. છતાંય સાસરિયાઓ ત્રાસ આપતા ધ્રુવ પટેલે એક ફ્લેટમાં જઈ 11માં માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં તેઓને હાથે-પગે અને અન્ય ભાગોમાં 9થી વધારે ફ્રેક્ચર થતા તેઓ હાલ સારવાર હેઠળ છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવતા ધ્રુવના વાહનની ડેકીમાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી.

જેમાં તેણે માતા-પિતાને સંબોધીને લખ્યું હતું કે, પત્ની રીંકુના પરિવારવાળા માત્રને માત્ર પૈસા માટે સંબંધ રાખે છે. મેં રીંકુ, તેની બહેન તથા સસરા પાસેથી લીધેલા નાણાં 5 વર્ષમાં વ્યાજ સાથે ચૂકવી દીધા છે, અને વ્યાજ પણ એટલું આપ્યું કે, મૂડી કરતા પણ રકમ વધી જાય છે. જોકે, પત્ની તેની બહેન સસરા સહિતના લોકો ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા, જેથી આ અંતિમ પગલું ભરૂ છું. તેમ આ ચિઠ્ઠીમાં લખેલું લખાણ મળી આવ્યું હતું. જે પુરાવા આધારે સોલા પોલીસે ચિઠ્ઠી જાપ્ત કરી વ્યાજખોર સાસરિયાઓ સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.

Latest Stories