અમદાવાદ : રસીનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા, 10 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો જ નથી

10 લાખ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો નથી શહેરમાં વિવિધ સ્થળોએ ઉભા કરવામાં આવ્યાં ટેન્ટ તેલ મફત આપવા સહિત અનેક સ્કીમ પણ અપાય

New Update
અમદાવાદ : રસીનો બીજો ડોઝ લેવામાં ઉદાસીનતા, 10 લાખથી વધુ લોકોએ બીજો ડોઝ લીધો જ નથી

કોરોના વાયરસના નવા વેરીયન્ટ ઓમીક્રોનના પગપેસારા વચ્ચે અમદાવાદમાં રસીકરણને સઘન બનાવવામાં આવી રહયું છે જેના ભાગરૂપે અમદાવાદમાં લોકોને રસી મુકાવવામાં સરળતા રહે તે માટે ટેન્ટ ઉભા કરાયાં છે. અમદાવાદ શહેરમાં વેકસીનેશનને વેગ આપવા માટે લોકોને પ્રલોભનો ઉપરાંત કડક તપાસ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે તેમ છતાં હજુ 10 લાખ લોકોએ કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી. શહેરમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવી વ્યક્તિ હવે ખૂબ ઓછી છે, પણ બીજો ડોઝ ન લીધો હોય તેમની સંખ્યા વધારે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી શહેરના અલગ અલગ વિસ્તારમાં ટેન્ટમાં વેક્સિનેશનની કામગીરી શરૂ કરાય છે.

લોકો રસીનો બીજો ડોઝ લે તે માટે તેલનાં પાઉચ વહેંચવાં, સિનિયર સિટીઝન્સ તથા અશક્તને ઘરે જઈને વેક્સિન આપવા જેવા પ્રયોગો પણ કરાયાં. આ ઉપરાંત રસી ન લેનારાને બગીચા, જાહેર સ્થળો, એએમટીએસ, બીઆરટીએસ, મ્યુનિ. કચેરીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. મોલ-હોટેલો, ઓફિસોમાં તપાસ કરી વેક્સિન ન લેનારા સામે કાર્યવાહી પણ કરાઈ છે. જોકે તેમ છતાં હજુ આજે પણ 10.57 લાખ નાગરિકોને બીજો ડોઝ આપવાનો હજુ બાકી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં અલગ ટેન્ટ ઉભા કરી જે લોકો વેક્સીન આપવામાં આવી રહી છે અને જ્યા કોરોના ટેસ્ટિંગ થાય છે ત્યાંજ શહેરીજનોને વેક્સીનેટેડ કરવામાં આવી રહયાં છે જે લોકો કોરોના ટેસ્ટ માટે આવે તેને વેક્સીન લીધી છે કે નહિ તે પૂછવામાં આવે છે અને ના લીધી હોઈ તો વેકસીન આપવામાં આવે છે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.