અમદાવાદ: કર્ણાવતી ક્લબમાં કમલમ અને ફળ મહોત્સવ શરૂ, 35% ઉત્પાદન સાથે ગુજરાતઅગ્રેસર

રાજ્યમાં કમલમ ફ્રુટ નું અસરકારક ઉત્પાદન, દેશમાં 35 ટકા કમલમ ફૂટનું ઉત્પાદન રાજ્યમાં.

New Update
અમદાવાદ: કર્ણાવતી ક્લબમાં કમલમ અને ફળ મહોત્સવ શરૂ, 35% ઉત્પાદન સાથે ગુજરાતઅગ્રેસર

અમદાવાદના કર્ણાવતી ક્લબમાં કમલમ અને ફળ મહોત્સવ 2021નું આયોજન કરવામાં આવ્યું હતું જેનો કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ પ્રારંભ કરાવ્યો હતો.

ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અમદાવાદમાં ફાર્મ ફ્રેશ કમલમ અને ફળ મહોત્સવ 2021નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઔષધીય તથા એન્ટી ઓક્સીડન્ટ્સ ગુણધર્મોથી ભરપુર ડ્રેગન ફ્રૂટ કમલફળમાંથી ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલી પ્રોડક્ટ્સનું સીધું જ વેચાણ કરવામાં આવશે.

આ મહોત્સવ 2થી 6 સપ્ટેમ્બર 2021 સુધી કર્ણાવતી ક્લબમાં સવારે 9થી સાંજના 8 વાગ્યા સુધી યોજાશે. જેનો કૃષિ પ્રધાન આર.સી.ફળદુએ પ્રારંભ કરાવ્યો હતો. સમગ્ર દેશમાં કમલમ ડ્રેગન ફ્રૂટના કુલ ઉત્પાદનમાં 35% ઉત્પાદન સાથે ગુજરાતઅગ્રેસર રહ્યું છે. ત્યારે કૃષિ મંત્રી આર.સી.ફળદુએ જણાવ્યું હતું કે, ગુજરાતનો ખેડૂત સ્વસ્થ અને સમૃદ્ધ બને. ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બને તે માટે હવે દેશભરમાં ખેડૂતો માટે મોડેલ બનશે.જેમાં ખેડૂતોને કમલમ ફ્રૂટના વાવેતર વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર દીઠ.1.25 લાખ રૂપિયાની નાણાકીય બાગાયતી ખેતી માટે આપીને તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

જેના પગલે રાજ્યના 25 જિલ્લામાં 1200 જેટલા વિસ્તારમાં આ ફ્રુટનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. જેમાં અમદાવાદ શહેરના કર્ણાવતી ક્લબમાં કમલમ અને ફળ મહોત્સવ 2021 નો પ્રારંભ કરાવી નગરજનો માટે ખુલ્લો મુક્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી અને દેશના અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના ફેસ્ટિવલની આગેવાની લેવા માટે ગુજરાતને આહવાન કર્યું હતું.

Read the Next Article

અમદાવાદ 148મી રથયાત્રામાં હાથી ભડકતા મચી હતી અફરાતફરી,ઉશ્કેરાયેલા ગજરાજની મદદે આવ્યું વનતારા

વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ સ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી

New Update
vantara

અનંત અંબાણીના નેજા હેઠળની વન્યજીવન કલ્યાણ અને સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી પરોપકારી સંસ્થા વનતારાએ 148મી જગન્નાથ રથયાત્રા દરમિયાન ત્રણ હાથીઓના ભાગદોડની ઘટના બાદ તરત જ અમદાવાદમાં તેની એક વિશેષ ઇમર્જન્સી ટીમ તૈનાત કરી હતી.આ ટીમમાં બે વન્યજીવ પશુ ચિકિત્સકોછ વરિષ્ઠ મહાવતોતાલીમ પામેલા અગિયાર સહાયક સ્ટાફ અને પાંચ એલિફન્ટ એમ્બ્યુલન્સનો સમાવેશ થતો હતોજે કટોકટીના સમયમાં હાથીને તબીબી સંભાળ અને વર્તણૂકીય સહાય પૂરી પાડવા માટે સજ્જ હતા.

અમદાવાદમાં રથયાત્રા દરમિયાન આ ઘટના ત્યારે બની હતી,જ્યારે શોભાયાત્રા દરમિયાન મોટેથી વાગતા સંગીતના અને ભીડના અવાજથી ગભરાયેલો એક નર હાથી અચાનક હરોળ તોડીને આગળ ધસી ગયો હતો. પાછળ પાછળ આવી રહેલા બે હાથીઓ પણ ગભરાઈ ગયા અને દોડી ગયા હતાજેના કારણે શોભાયાત્રામાં ખલેલ પહોંચી અને થોડા સમય માટે અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી.

વનતારાની ટીમે સ્થાનિક અધિકારીઓને અસરગ્રસ્ત નર અને માદા હાથીઓના તબીબી મૂલ્યાંકનમાં મદદ કરીવર્તણૂકીય અને માનસિક સહાય પૂરી પાડી અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામત નિયંત્રણ સુનિશ્ચિત કર્યું હતું.

"રથયાત્રા દરમિયાન હાથીઓની દોડભાગની ઘટના બાદ તાત્કાલિક સહાય માટે વનતારાનો સંપર્ક કર્યો હતો.તેમની ટીમે જામનગરથી ઝડપથી પ્રતિક્રિયા આપી અને સ્થાનિક અધિકારીઓ અને સંભાળ લેનારાઓ સાથે સંકલન સાધીને હાથીની યોગ્ય સંભાળ માટે તેમના સ્થાનાંતરણની વ્યવસ્થા કરી હતી," તેમ ગુજરાતના મુખ્ય વન સંરક્ષક ડો. કે. રમેશ (આઇએફએસ) દ્વારા જણાવવામાં આવ્યું હતું.

જગન્નાથ મંદિર મેનેજમેન્ટે વનતારાના ત્વરિત પગલાં અને સમર્પણની પ્રશંસા કરી હતી. "વનતારાએ આ હાથીઓને તાત્કાલિક જરૂરી તબીબી સહાય અને પુનર્વસન મળે તે સુનિશ્ચિત કરવા માટે ખૂબ જ પ્રતિબદ્ધતા દર્શાવી હતી," તેમ શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ સમિતિના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું.

વનતારા વિશ્વનું સૌથી મોટું એલિફન્ટ કેર સેન્ટર ધરાવે છેજે 998 એકરમાં ફેલાયેલું છેતેમાં 100 એકરથી વધુ જગ્યામાં સમૃદ્ધમાનવસર્જિત જંગલનો સમાવેશ થાય છે. આ સેન્ટર સર્કસભીખ માંગવાપર્યટન અને લાકડા કાપવામાં અગાઉ ઉપયોગમાં લેવાયેલા 260 બચાવેલા હાથીઓને આજીવન સંભાળ પૂરી પાડે છે. આ સેન્ટર વિશ્વની સૌથી મોટી એલિફન્ટ હોસ્પિટલ પણ ધરાવે છે અને તેણે મહત્વની અનેક પશુચિકિત્સાને લગતી નવીનતાઓનો પાયો નાખ્યો છેજેમાં નર હાથી પર પ્રથમ મોતિયાની શસ્ત્રક્રિયા અને હાથીઓ માટે વિશ્વના પ્રથમ હાઇપરબેરિક ઓક્સિજન ચેમ્બરનો સમાવેશ થાય છે.

તેની સુવિધાઓમાં હાઈડ્રોથેરાપી પૂલકુદરતી તળાવોકાદવના ઢગલાપાણીના ફુવારારેતીના ઢગલા અને સાંકળ-મુક્ત મસ્થ એન્ક્લોઝરનો સમાવેશ થાય છે .જે બચાવાયેલા હાથીઓમાં વ્યાપક શારીરિક અને માનસિક સ્થિતિની પુનઃપ્રાપ્તિ કરાવવામાં મદદ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. વનતારાના એલિફન્ટ કેર સેન્ટરમાં 650થી વધુ પ્રોફેશનલ્સ કાર્યરત છે.જેમાં પશુચિકિત્સકોજીવ વિજ્ઞાનીઓ અને પ્રશિક્ષિત સંભાળ રાખનારાઓનો સમાવેશ થાય છે. જેઓ પ્રાણીઓને સકારાત્મક મજબૂતીકરણ પર આધારિત નૈતિકકરુણાપૂર્ણ સંભાળ પૂરી પાડે છે.