અમદાવાદ : એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના 75 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રીએ 39 ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો...

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 39 ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો

New Update
અમદાવાદ : એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજના 75 વર્ષ પૂર્ણ, મુખ્યમંત્રીએ 39 ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનનો પ્રારંભ કરાવ્યો...

અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં 39 ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નેશનલ એજ્યુકેશન પોલિસી તેમજ નવા આયામોને અમલી બનાવી વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે ગ્લોબલ કન્વેન્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં જ્યારે આઝાદીના 75મા વર્ષની આઝાદી કા અમૃત મહોત્સવ તરીકે ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ પણ જૂન-2023 સુધી પોતાના 75મા વર્ષની કાર્યક્રમ હેઠળ ઉજવણી કરી રહ્યું છે. જેના ભાગરૂપે 39 ગ્લોબલ એલ્યુમની કન્વેન્શનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના શ્રેષ્ઠ વિધ્યાર્થીઓ અને પ્રોફેસરનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન તરીકે ઓળખાય છે. અમૃત કાળમાં જ્યારે ભારત દેશ વિકસિત રાષ્ટ્ર બનાવવા તરફ આગળ વધી રહ્યો છે, ત્યારે ગુજરાત પણ વિકસિત રાજ્ય બનીને દેશભરમાં રોલ મોડલ બની રહ્યું છે. એટલા માટે જ રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક સ્તરની બનાવીને ઉચ્ચ સ્તરીય શિક્ષણ થકી આવનારી પેઢી સમાજ, રાજ્ય અને દેશના વિકાસમાં સહભાગી બને તે માટે સરકાર હર હંમેશ પ્રયત્નશીલ છે.

Read the Next Article

અમદાવાદ શહેર પોલીસનું “એક નયી સોચ” અભિયાન, શાળામાં વિદ્યાર્થીઓને ભણાવ્યા સલામતીના પાઠ...

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે “એક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અમદાવાદ શહેર પોલીસનુંએક નયી સોચ” અભિયાન

  • નરોડાની એસ.એમ.શિક્ષણ સંકુલ ખાતે કાર્યક્રમ યોજાયો

  • શાળાના વિદ્યાર્થી બાળકો ભણ્યા સલામતીના અનેક પાઠ

  • ટ્રાફિક નિયમનું પાલન કરવા પરિવારજનોને ફરજ પાડશે

  • સંયુક્ત પોલિસ કમિશનર સહિતના અધિકારીઓની હાજરી

અમદાવાદ શહેરના નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતે શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારાએક નયી સોચ” અભિયાન અંતર્ગત નાના બાળકો સલામતીના પાઠ ભણ્યા હતા. જે બાળકો હવે પરિવારજનોને હેલ્મેટ પહેરવા તેમજ ટ્રાફિક નિયમનું પાલન કરવા ફરજ પાડશે.

અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે નવા નરોડા રોડ પર આવેલ એસ.એમ. શિક્ષણ સંકુલ ખાતેએક નયી સોચ” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે તે અંગે સંયુક્ત પોલિસ કમિશનર એન.એન.ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કર્યું હતું.

વધુમાં તેઓએ વિદ્યાર્થીઓના ટુ-વ્હીલર્સ પરઆઈ લવ હેલ્મેટ” “આઈ લવ માય ફેમિલીના સૂત્રો લખેલા સ્ટિકર લગાવીએક નયી સોચ” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. સરકારે હેલ્મેટનો કાયદો બનાવ્યો છે. કારણ કેઅકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છેજ્યાં રેડ લાઈટ થાય તો ઉભા રહીએ. તો બીજી તરફટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે. કારણ કેનાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કેનવી ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બનેકાયદાનું પાલન કરે તથા સલામતસુરક્ષિતસાવધાન અને સતર્ક બને તે માટેએક નયી સોચ” પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતા-પિતાને પણ હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદJCP એન.એન.ચૌધરી, DCP બલદેવસિંહજી, ACP એસ.જે.મોદી, ACPD એસ. પુનડીયાશહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપના સભ્યો સહિત મોટી સંખ્યામાં શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.