અમદાવાદ : ચંડોળામાં મેગા ડિમોલિશન,લલ્લા બિહારીનું કાળુ સામ્રાજ્ય ધ્વસ્ત,સ્ટેની અરજી હાઇકોર્ટે નકારી

બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકે, હવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટેની અરજી હાઇકોર્ટે નકારી

New Update
  • અમદાવાદમાં બાંગ્લાદેશી વસવાટનો મામલો

  • પોલીસે 800થી વધુ શંકાસ્પદ લોકોની કરી હતી અટકાય

  • ચંડોળામાં કાળા સામ્રાજ્ય પર મેગા ડિમોલિશન

  • 500થી વધુ ઝુપડા પર બુલડોઝર ચલાવી કરાયા ધ્વસ્ત

  • કાર્યવાહી સામેની સ્ટેની અરજી હાઇકોર્ટે નકારી 

અમદાવાદમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોના સૌથી મોટા અડ્ડા સમાન ચંડોળા તળાવમાં મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે. જોકેહવે આ કામગીરી પર સ્ટે મૂકવા માટેની અરજી હાઇકોર્ટે નકારી કાઢી હતી.

અમદાવાદના ચંડોળા તળાવ પાસે સૌથી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરો રહે છે. પોલીસે અહીંથી જ 800થી વધુ જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી હતી. એવામાં હવે અહીં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોમવાર રાત્રિથી જ ચંડોળા તળાવ પાસે મોટી સંખ્યામાં બુલડોઝર અને ટ્રકો ગોઠવી દેવામાં આવ્યા હતા. અહીં ગુજરાત પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચસાયબર ક્રાઇમ, SRP તથા SOGની ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે. કુલ બે હજારથી વધુ જવાનો તૈનાત કરાયા છે. અંદાજે 40થી 50 બુલડોઝર અને 40થી વધુ ડમ્પરનો ખડકલો ચંડોળા તળાવ પાસે કરી દેવાયો છે.

ચંડોળામાં અત્યાર સુધી 500 જેટલા મકાનો અને ઝૂપડાં ધ્વસ્ત કરાયા છે. ત્યારે લલ્લા બિહાર નામનો વ્યક્તિ ખૂબ ચર્ચામાં છે.લલ્લા બિહારીએ પચાવી પાડેલી 2 હજાર વાર જગ્યા ખુલ્લી કરીને તેના ગેરકાયદે ફાર્મ હાઉસને તોડી પાડવામાં આવ્યું છે.  ફાર્મ હાઉસ રૂમકિચનચિલ્ડ્રન પ્લે એરિયાગાર્ડનફુવારામીની સ્વિમિંગ પુલહીંચકા અને AC સહિતની સુવિધાઓથી સજ્જ હતું. લલ્લા બિહારી ગેરકાયદે ફાઇનાન્સનો ધંધો કરતો અને ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો પૂરો પાડતો હતો.

લલ્લા બિહાર પશ્ચિમ બંગાળના એજન્ટ થકી બાંગ્લાદેશીઓને લાવતો હતો. તે વ્યક્તિ દીઠ 10થી 15 હજાર રૂપિયા લેતો હતો અને જગ્યા ભાડે આપતો હતો. એટલું ગેરકાયદે આવેલા બાંગ્લાદેશીઓને ખોટા દસ્તાવેજ બનાવી આપતો હોવાના આરોપ છે. ત્યારે પોલીસે લલ્લા બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરી લીધી છે.

હાલ ડિમોલિશનના આ મુદ્દે 18 જેટલા અરજદારોએ કામગીરી પર સ્ટે મૂકવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.જેની સુનાવણી થતા હાઇકોર્ટે આ અરજીને નકારી કાઢી હતી.

Read the Next Article

અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા પૂર્વે જળયાત્રા યોજાય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા ઉપસ્થિત...

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથી, બેન્ડવાજા, ધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાંથી જળ લઇ પરત ફરી

New Update
  • અષાઢી બીજના રોજ 148મી રથયાત્રાનું ભવ્ય આયોજન કરાયું

  • જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિરથી જળયાત્રા નીકળી

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં જળયાત્રાનું આયોજન

  • ભગવાનને પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવવામાં આવ્યું

  • સાધુ સંતોએ માલપુવા - દૂધપાક સહિતનો પ્રસાદ ગ્રહણ કર્યો

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પૂર્વે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજરોજ જેઠ સુદ પૂનમના દિવસે અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતેથી વાજતે ગાજતે હાથીબેન્ડવાજાધજા-પતાકા સાથે ભવ્ય જળયાત્રા નીકળી રિવરફ્રન્ટ ખાતે સાબરમતી નદીમાંથી જળ લઇ પરત ફરી હતી. દર વર્ષે જળાભિષેક માટે સાબરમતી નદીમાંથી પાણી લાવવામાં આવે છેત્યાં આ વર્ષે જળકુંભી નીકળી હોવાથી પ્રથમવાર AC ક્રૂઝની મદદથી નદીની મધ્યમાં જઈ પાણી લાવવામાં આવ્યું હતું. જોકેમંદિરે ભગવાન પરત ફર્યા બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીસાધુ-સંતોયજમાન સહિત અનેક ભક્તો દ્વારા ભગવાનને જળાભિષેક કરાયો હતો.

અમદાવાદના જમાલપુર વિસ્તાર સ્થિત ભગવાન જગન્નાથજી મંદિર ખાતે ભગવાનને દુધદહીખાંડમધપંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવામાં આવ્યું હતું. વિષ્ણુ અવતાર ભગવાન જગન્નાથજીને પ્રિય તુલસી દલ અર્પણ કરાયું હતુંઅને આરતી ઉતારવામાં આવી હતી. જે બાદ ભગવાનને વર્ષમાં એકવાર પહેરાવવામાં આવતો ગજવેશ પહેરાવાયો હતો. જમાલપુર જગન્નાથ મંદિરે સાધુ સંતોએ ધોળી દાળકાળી રોટી એટલે કે માલપુવા અને દૂધપાક સહિતનો પ્રસાદ લીધો હતો. તો બીજી તરફભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રામાં સુરક્ષા વ્યવસ્થા અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિસ્તૃત માહિતી આપી હતી.