અમદાવાદ: વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા મેગા લોક દરબારનું આયોજન,જુઓ શું લેવાયા મહત્વના નિર્ણય

વ્યાજખોરો વિરુદ્ધ અમદાવાદ પોલીસનું અભિયાન ચલાવવામાં આવી રહી છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
અમદાવાદ: વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા મેગા લોક દરબારનું આયોજન,જુઓ શું લેવાયા મહત્વના નિર્ણય

વ્યાજખોરો વિરુદ્ધ અમદાવાદ પોલીસનું અભિયાન ચલાવવામાં આવી રહી છે. પોલીસ હેડક્વાર્ટર ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાજખોરીના ખપ્પર માંથી જનતાને બહાર કાઢવા પોલીસ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું

Advertisment

અમદાવાદ કમિશનરે વ્યાજખોરો સામે પગલા લેવા કડક સૂચના આપી હતી. જેમાં વ્યાજખોરોના આતંકને ડામવા પોલીસ એક્શન મોડમાં આવી ચૂકી છે.અત્યાર સુધી શહેરમાં 47 ગુના વ્યાજખોરો સામે નોંધાયા છે. જેમાં કુલ 70 આરોપીઓની ધરપકડ આવી છે. શહેરમાં કુલ 122 અરજીઓ નોંધાય છે જેમાં 54 જેટલા લોકદરબારમાં 3730 લોકો હાજર રહ્યા હતા.ફરિયાદીને સરળતાથી નાણાં મેળવવા માટે પી.એમ.ની યોજના હેઠળ સ્ટ્રીટ હોકર્સ હેઠળ લોન આપી છે.કોર્પોરેશન મારફતે 09 જેટલી બેન્ક જોડાયેલી છે. કોર્પોરેશનની અધ્યક્ષતામાં નાના વેપારીઓને લોન આપવામાં આવશે. આ લોક દરબારમાં શહેરના તમામ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

લોક દરબારમાં જોડાયેલ બેંકના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે જે લોકો વ્યાજના ચક્કરમાં ફસાયા છે તેને બહાર લાવવા અમે નાની લોન આપીએ છીએ અહી ૧૦ હજારથી ૧૦ લાખની લોન સેક્સન કરવામાં આવે છે માત્ર સીમિત ડોક્યુમેન્ટથી આ લોન સરળતાથી મળી શકે છે.તો વ્યાજદર પણ બહુ ઓછો હોય છે સરકારના સહયોગથી આ પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment