Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ: મહેંદીનો પૂર્વ પતિ આવ્યો મીડિયા સામે,કહ્યું અમારા 2 વખત લગ્ન થયા તો પણ ડિવોર્સ થયા

મહેંદીનો પૂર્વ પતિ આદિલ પણ મીડિયા સામે આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે મહેંદી એ તેની સાથે 2 વખત લગ્ન કર્યા હતા

X

અમદાવાદ પેથાપુરમાં બાળકને ત્યજી દેવાનો મામલો દિવસેને દિવસે વધુ ગંભીર બની રહ્યો છે ત્યારે મહેંદીનો પૂર્વ પતિ આદિલ પણ મીડિયા સામે આવ્યો છે. તેણે જણાવ્યું હતું કે મહેંદી એ તેની સાથે 2 વખત લગ્ન કર્યા હતા અને ત્યારબાદ તેમના ડિવોર્સ થયા હતા.

વડોદરા શહેરના દર્શનમ ઓએસિસમાં ખેલાયેલા ખૂની ખેલ બાદ આજે સયાજી હોસ્પિટલમાં મહેંદીના મૃતદેહનું પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું ત્યારે સચિનની પ્રેમિકા મહેંદીનો પૂર્વ પતિ આદિલ પંજવાણી મીડિયા સામે આવ્યો છે. મહેંદીના પૂર્વ પતિએ જણાવ્યું હતું કે, અમે સાડા ત્રણ વર્ષ એકદમ સરસ રીતે સાથે રહ્યા છીએ અને ત્યારબાદ હિના તેના માસીના સંપર્કમાં આવી હતી અને તેણી ત્યારબાદ એવું કહેતી કે માસી સાથે વાત કરું છું અને પછી ખબર પડી કે તે માસીના છોકરા સાથે વાતો કરે છે ત્યારથી અમારી વચ્ચે ઝઘડા થવા લાગ્યા અને અંતે અમે ડિવોર્સ લેવાનું નક્કી કર્યું અને પ્રોસેસ બધી શરૂ થઈ. જો કે,ચારેક મહિના બાદ હિના અમદાવાદ એકલી રહેવા લાગી અને સચિનના સંપર્કમાં આવી હતી અને મારી સાથે છૂટાછેડા લીધા હતા.થોડા સમય બાદ સચિન સાથે પણ બબાલ થતાં તે ફરી મારી પાસે આવી અને માફી માગીને મને સ્વીકારવા માટે વિનંતી કરી, લાગણી હોવાને કારણે મેં ફરી તેની સાથે લગ્ન કર્યા. જોકે, ત્યારે તે બોપલમાં રહેતા માસી હિનાને ફરીથી સચિન સાથે જોડાવાની કોશિશ કરી અને ડિસેમ્બરમાં લગ્ન થયાં બાદ માર્ચમાં તે સચિન સાથે રહેવા લાગી મહેંદીના પૂર્વ પતિએ કહ્યું હતું કે, સચિને ખરેખર બહું ખોટું કર્યું છે અને તેને સજા થવી જ જોઈએ. ગમે તે હોય આપણને કોઈને મારવાનો તો અધિકાર નથી જ માટે સચિનને સજા મળવી જ જોઈ

Next Story