અમદાવાદ : એરપોર્ટ પાસેની તંદુર હોટલની રૂમમાં 22 વર્ષીય મહિલાની હત્યાથી ચકચાર,આરોપીની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર હોટલમાંથી 22 વર્ષીય નસરીનબાનુની લાશ મળી હોવાના કેસને ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે.ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો

New Update
  • એરપોર્ટ પાસેની તંદુર હોટલમાંથી યુવતીની મળી લાશ

  • ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા

  • હોટલમાં ચિંતન વાઘેલા પણ યુવતી સાથે હતો

  • પોલીસે યુવતીના મિત્ર ચિંતનની કરી ધરપકડ

  • યુવતીની હત્યાનો ભેદ ઉકેલવાનો પોલીસે શરૂ કર્યો પ્રયાસ  

Advertisment

અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર હોટલમાંથી 22 વર્ષીય નસરીનબાનુની લાશ મળી હોવાના કેસને ક્રાઈમ બ્રાન્ચે ઉકેલી કાઢ્યો છે.ચિંતન વાઘેલા નામનો યુવક યુવતી સાથે રૂમમાં ગયો હતો અને તેને જ ગળે ટૂંપો દઈ યુવતીની હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.તે યુવતીનો મિત્ર હોવાની પણ વાત સામે આવી છે.હત્યા બાદ તે આણંદ તરફ ભાગ્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમદાવાદ એરપોર્ટ પાસેની તંદૂર હોટલમાંથી 22 વર્ષીય નસરીનબાનુની લાશ મળી આવી હતી,મૂળ ઉત્તરપ્રદેશની અને હાલ રામોલમાં રહેતી 22 વર્ષીય નસરીનબાનુ ફિરોઝ અખ્તર અમદાવાદ એરપોર્ટ પર કામ કરતી હતી.બનાવ અંગેની જાણ એરપોર્ટ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમાં નસરીનબાનુની ગળે ટૂંપો દઈને હત્યા કરવામાં આવી હોવાની વિગતો બહાર આવી હતી,અને પ્રાથમિક તપાસમાં ચિંતન વાઘેલા નામનો યુવક તેની સાથે રૂમમાં ગયો હતો.જે બાદ યુવક નીકળી ગયો હતો.યુવકે ગળે ટૂંપો આપી હત્યા કરી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.એરપોર્ટમાં કામ કરતી યુવતીની તંદૂર હોટલના રૂમમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

આ ઘટનામાં આણંદ તરફ ફરાર થયેલા ચિંતન વાઘેલાની પોલીસે ધરપકડ કરીને હત્યાનો ભેદ ઉકેલવાના પ્રયાસો શરૂ કર્યા છે.

Advertisment
Read the Next Article

અમદાવાદ: સાણંદમાં 19 વર્ષીય યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી

પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી

New Update
Sanand Murder
અમદાવાદ ગ્રામ્યના સાણંદ વિસ્તારમાં 19 વર્ષીય યુવકનીહત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાની જાણ સાણંદ GIDC પોલીસે તપાસ કરતાહત્યાનો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર નિકળ્યો છે. જેણે પાનના ગલ્લા ઉપર જ 19 વર્ષીય યુવકનેછરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. 19 વર્ષીય ભરત બળદેવભાઈ પટેલ જેની પ્રેમ સંબંધના કારણે હત્યાનિપજાવી કાઢવામાં આવી છે.
Advertisment
મૃતક યુવક સાણંદ તાલુકાના જોલાપુર ગામમાં પાનનો ગલ્લોચલાવતો હતો. 21મી મેના રાત્રે મૃતક જ્યારે પાનના ગલ્લે બેઠો હતો ત્યારે સગીરયુવક ત્યા આવ્યો હતો. અને ગુટકા લેવાના બહાને મૃતક સાથે વાતચીત હાથ ઘરી હતી. મૃતકજ્યારે ગુટકા લેવા માટે બેધ્યાન થયો ત્યારે સગીરે તેની પાસે રહેલ છરીના 2-3 ઘા મૃતકની છાતીમાં ઝીંકી દીધા હતા.
આ ઘટના નજરે જોનાર વ્યક્તિઓએ તુરંત પોલીસને જાણ કરીને મૃતકનેપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર માટે ખસેડ્યો હતો. જોકે ફરજ પર હાજર ડોક્ટરોએભરતને મૃત જાહેર કર્યો હતો. જેને લઈ સાણંદ GIDC પોલીસે ગુનો નોંધી તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીયછે કે મૃતક યુવકની પ્રેમ સંબંધમાં હત્યા કરવામાં આવી છે મૃતક ભરત અને સગીરની બહેન વચ્ચે છેલ્લા 2 વર્ષથી પ્રેમસંબંધ હતો અને અગાઉ 6 મહિના પહેલા જ સગીર યુવકે તેની બહેન સાથેના પ્રેમસંબંધ બાબતેમૃતક વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં સગીર યુવકે તેની બહેન સાથે પ્રેમ સંબંધ ન રાખવાતેમજ વાતચીત ન કરવા માટે ધમકી આપી હતી.
Advertisment
Latest Stories