અમદાવાદ : "સલમાન"નું રહસ્યમય મોત, ગુપ્તાંગ પર ફેવીકવીક લગાવાઇ હોવાનો આક્ષેપ

અંજલિ વિસ્તારની હોટલમાં બે યુવતીઓ સાથે દેખાયા બાદ સલમાનને ગંભીર હાલતમાં ઘરે લાવવામાં આવ્યો હતો

New Update
અમદાવાદ : "સલમાન"નું રહસ્યમય મોત, ગુપ્તાંગ પર ફેવીકવીક લગાવાઇ હોવાનો આક્ષેપ

અમદાવાદના જુહાપુરાના રહેવાસી અને રીકશા ચલાવતાં સલમાનના મોતનું રહસ્ય ઘેરાઇ રહયું છે. અંજલિ વિસ્તારની હોટલમાં બે યુવતીઓ સાથે દેખાયા બાદ સલમાનને ગંભીર હાલતમાં ઘરે લાવવામાં આવ્યો હતો જયાં તેનું મૃત્યુ થઇ ગયું હતું.

અમદાવાદના વેજલપુરના ફતેહવાડીમા રહેતા 29 વર્ષના યુવક સલમાન મિરઝાનું 25 જૂનના રોજ શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજયું હતું. પોતાના એકના એક દિકરાનુ મૃત્યુ થતા પરિવાર આઘાતમા છે.. બહેન અને મા-બાપનો ઘડપણની લાઠી છીનવાઈ જતા તેઓ ન્યાય માટે વલખા મારી રહયા છે.. ઘટનાની વાત કરીએ તો સલમાન મિરઝા તારીખ 23 જૂને ઘરેથી નીકળ્યો હતો.. અને ત્યાર બાદ 24 જૂનના રોજ તેના મિત્રો બેભાન અવસ્થામા લઈને આવ્યા હતા.. સલમાને MD ડ્ગ્સ લીધુ હોવાથી નશામાં હોવાનુ કહીને મિત્રો નીકળી ગયા,.,પરંતુ સાંજે પણ તેની હાલત ખરાબ થતા મિત્રો ડોકટર પાસે લઈને ઘરે મુકી ગયા હતા.. પણ સલમાનની હાલત સુધરવાના બદલે વધારે બગડી રહી હતી.. બીજા દિવસે પરિવારે સોલા સિવિલ હોસ્પીટલ લઈ જતા સારવાર દરમ્યાન સલમાનનુ મોત નિપજયુ.. આ ઘટનાથી આખો પરિવાર શોકમા છે.. પોતાના લા઼ડકવાયા દિકરાની મોતનુ કારણ જાણવા પોલીસ સ્ટેશનના ધકકા ખાય છે..

સલમાન મિરઝાના શંકાસ્પદ મોતને લઈને વિવાદ સામે આવ્યો છે.. કારણ કે સલમાન મોત પહેલા વાસણાની એક હોટલમાં તે બે યુવતી સાથે જોવા મળ્યો હતો.. જેમાં એક યુવતી સાથે તે રૂમમાં જાય છે અને સવારે લઠડીયા ખાતો બહાર પણ નીકળે છે.. પરિવારનો આરોપ છે કે સલમાનને એમડી ડ્ગ્સનો ઓવરડોઝ આપીને તેના ગુપ્તાંગ પર ફેવીકવીક લગાવી દેવામાં આવી હતી.. જેથી તેનુ મોત નિપજયુ છે.. પરંતુ ડોકટરના રિપોર્ટમા હજુ સુધી ફેવીકીક કે ડ્ગ્સને લઈને કોઈ સ્પષ્ટતા નહિ થઈ હોવાનુ પોલીસનુ કહેવુ છે. પોલીસે આ શંકાસ્પદ મોતને લઈને એફએસએલની મદદ લીધી છે..

Aસલમાન રિક્ષા ચલાવીને પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતો હતો.. માતા-પિતા અને બે બહેનોની જવાબદારી તેના પર હતી.. પરંતુ સલમાનના મોતનુ કારણ હજુ અકબંધ છે.. પોલીસની તપાસમા છેલ્લા સલમાન સાથે જોવા મળતી આ યુવતી તેની પૂર્વ ફિયાન્સી હતી.. પાંચ વર્ષ પહેલા તેમની સગાઈ થઈ હતી અને એક વર્ષ બાદ બન્ને સગાઈ તુટી ગઈ હતી. પરંતુ તેઓ સંપર્કમા હતા.. આ યુવતીની પણ પોલીસે પુછપરછ કરી છે પરંતુ હજુ સુધી સલમાનના મોતનું કોઈ કારણ જાણવા મળ્યું નથી.

Read the Next Article

અમદાવાદ : અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ શમા પરવીનની ગુજરાત ATSએ બેંગલુરુથી ધરપકડ કરી...

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાત ATSએ ધરપકડ કરી છે.

New Update
  • અલકાયદાના 4 આતંકીની ધરપકડ બાદATSને મળી સફળતા

  • બેંગલુરુથી ઝડપાય અલકાયદાના ગ્રુપની માસ્ટરમાઇન્ડ મહિલા

  • અમદાવાદ-મોડાસાથી ઝડપાયેલા 4 આતંકીને આપતી માર્ગદર્શન

  • 3 એકાઉન્ટમાં જેહાદી ભાષણોચેટ સહિત પાક.ના સંપર્કો મળ્યા

  • શમા પરવીનનીATS દ્વારા ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરાય

ગત તા. 23 જુલાઈ 2025ના રોજ ગુજરાતATSએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના 4 આતંકીની ધરપકડ કરી હતી. હવે આ 4 આતંકીના જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનનીATSએ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ સંગઠન(AQIS) ચલાવનાર 4 આતંકી ઝડપાયા બાદ આતંકી જૂથની માસ્ટરમાઇન્ડ બેંગલુરુની શમા પરવીનની ગુજરાતATSએ ધરપકડ કરી છે. મહિલા આતંકવાદી સંગઠનના મુખ્ય હેન્ડલરોના સંપર્કમાં ભારતમાંથી આ જ યુવતી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આતંકી સંગઠન વધુ મજબૂત બનાવવું અને કેવી પ્રવૃત્તિ કરવી તે શમા પરવીન નક્કી કરતી હતી. અગાઉ પકડાયેલા 4 આતંકી પણ આ યુવતીના માર્ગદર્શનમાં કામ કરતા હતા. બીકોમ સુધીનો અભ્યાસ કરનારી શમાની અલગ અલગ ચેટ અને પાકિસ્તાનના સંપર્ક નંબરો પણ મળ્યા છે. જેની તપાસ કરવામાં આવી રહી છે. શમાનો મોબાઇલ અને અન્ય ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કબજે કરવામાં આવ્યાં છે.

તેના મોબાઇલમાંથી 3 સોશિયલ મીડિયા એકાઉન્ટ મળ્યાં છે. એમાં અનેક લોકો આ વિચારધારાના હોવાનું નક્કી થયા બાદ તેને જોડવાની કામગીરી કરતી હતી. માત્ર એટલું જ નહીંતે ગ્રુપની ગતિવિધિ અને આગળની કામગીરી નક્કી કરતી હતી. 30 વર્ષીય શમા પરવીન મૂળ ઝારખંડની રહેવાસી છેઅને બેંગલુરુના હેબ્બલ વિસ્તારમાં ખાનગી કંપનીમાં નોકરી કરતા ભાઈ સાથે રહેતી હતી. હાલમાં આરોપી શમાને પૂછપરછ માટેATS કસ્ટડીમાં રાખવામાં આવી છેઅને વધુ વિગતો મળવાની રાહ જોવાઈ રહી છે.