Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : PM મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત, માતાના ખબર-અંતર પૂછવા PM પહોંચ્યા હોસ્પિટલ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને નાદુરસ્ત તબિયતના કારણે ગત મંગળવારે રાત્રે તેઓને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે, ત્યારે PM મોદી પણ તત્કાળ અમદાવાદ હોસ્પિટલ ખાતે આવી પહોચી માતા હીરાબાના ખબર-અંતર પૂછ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા છે. જોકે, PMના માતાને હોસ્પિટલમાં દાખલ કરવાના સમાચાર મળતા હોસ્પિટલ બહાર સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, અમદાવાદ અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલા, મેયર કિરીટ પરમાર અને દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા. જોકે, યુ.એન.મહેતા હોસ્પિટલે સત્તાવાર રીતે હીરાબાની તબિયત સુધારા પર હોવાનું હેલ્થ બુલેટિન રિલીઝ કર્યું છે.

તો બપોરના સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના વાઇસ ચેરમેન પરિમલ નથવાણી પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટર દ્વારા તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવી રહી છે. તેમજ તબીબો દ્વારા હીરાબાના તમામ ટેસ્ટ રિપોર્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટના રિપોર્ટ આવ્યા બાદ તેઓની સારવાર કરવામાં આવી હતી. આ દરમિયાન ડોક્ટરો દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં તેમણે સ્ટેબલ હોવાનું જણાવ્યું હતું. અત્યંત લોખંડી બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલના સ્ટાફ સિવાય કોઈને પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. આ બધાની વચ્ચે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે, આજે નરેન્દ્ર મોદી યુ. એન.મહેતા હોસ્પિટલ આવશે.

હવે નવા મેડિકલ બુલેટિનની રાહ જોવામાં આવી રહી છે. તો બીજી તરફ, વડાપ્રધાનના માતા હીરાબાની તબિયત અંગે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, એક મા અને દીકરા વચ્ચેનો પ્રેમ અનંત અને અનમોલ હોય છે. મોદીજી, આ મુશ્કેલ સમયમાં મારો પ્રેમ અને સમર્થન તમારી સાથે છે. હું આશા રાખું છું, તમારા માતાજી જલ્દીથી સ્વસ્થ થઈ જાય.

Next Story