અમદાવાદ : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અચાનક પહોંચ્યા પોલીસ મથકોમાં, જુઓ પછી શું થયું..!

સૌથી પહેલી મિટિંગ નરોડા પોલીસ મથકે યોજાઇ હતી, તો બીજી મિટિંગ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી

New Update
અમદાવાદ : પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અચાનક પહોંચ્યા પોલીસ મથકોમાં, જુઓ પછી શું થયું..!

અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા અઠવાડિયામાં દર મંગળવાર અને શુક્રવાર એમ 2 દિવસ તેમની ચેમ્બરમાં ટી મીટીંગ યોજવામાં આવે છે. શહેરમાં બનતી ઘટનાઓ, ડિટેકશન, પોલીસની કામગીરી, નવી યોજના સહિતની નીતિ વિષયક બાબતો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે છે. આ મિટિંગમાં શહેરના ડીસીપી અને તેનાથી ઉપરના તમામ અધિકારીઓ હાજર રહેતા હોય છે.

જોકે, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ હવે ટી મીટીંગ તેમની ચેમ્બરમાં નહીં, પરંતુ જુદા જુદા પોલીસ મથકોમાં રાખવાનું શરૂ કર્યું છે. પોલીસ કમિશનરનું માનવું છે કે, પોલીસ મથકની વાસ્તવિકતાનો ચિતાર મેળવવા તેમજ પોલીસ અને લોકોને નડતી સમસ્યાઓના નિરાકરણ લાવવાના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી છે. સૌથી પહેલી મિટિંગ નરોડા પોલીસ મથકે યોજાઇ હતી, તો બીજી મિટિંગ વસ્ત્રાપુર પોલીસ મથકમાં કરવામાં આવી હતી, જ્યાં અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી પોલીસ મથકમાં આવતી અરજીઓ, દાખલ થતી ફરિયાદો, ક્રાઈમ રેકોર્ડ, હથિયારો, વાહન, પોલીસ તેમજ લોકોની સમસ્યા સહિતની કામગીરીનું રિવ્યુ કરવામાં આવ્યું હતું...

Read the Next Article

ફરી ઘટી ગયો સોનાનો ભાવ ! સોનું-ચાંદી ખરીદવાનો મોકો, જાણો લેટેસ્ટ ભાવ

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

New Update
golddd

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

લગ્નની સિઝન ચાલી રહી છે. આવી સ્થિતિમાં, જો તમે સોનું-ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આજે તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. સોના-ચાંદીના ભાવમાં થોડા સમયથી વધારો તો ક્યારેક ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે પણ સોનાના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો હતો, જોકે આજે સોનાના ભાવ ઘટી ગયા છે, ત્યારે ચાલો જાણીએ તમારા શહેરમાં આજે સોનાનો ભાવ કેટલો ઘટ્યો છે.

5 જુલાઈને શનિવારના આજે સોનાના ભાવમાં ધડામથી ફરી પાછા નીચે ઉતર્યા છે. એટલે કે આજે 600 રુપિયાથી વધારેનો સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે.

આજે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. તેમજ આજે 22 કેરેટનો ભાવ 90,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 90,490 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,720 રૂપિયા છે.

અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટો શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો છૂટક ભાવ પ્રતિ 10 ગ્રામ 90,540 રૂપિયા પર પહોચ્યોં છે. જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 98,770 રૂપિયા છે.

આજે સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. આજે 5 જુલાઈ શનિવારના રોજ ચાંદીનો ભાવ 1,09,900 રુપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ગઈ કાલે ચાંદીનો ભાવ 1,11,100 રુપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

ખાસ કરીને લગ્ન, દિવાળી અને ધનતેરસ જેવા તહેવારો પર, લોકો સોનું ખરીદવાનું શુભ માને છે. આવા પ્રસંગોએ, સોનાની માંગ વધે છે, જેના કારણે તેની કિંમત પણ વધે છે.

 Business | Today Gold Rate | Gold and silver Price Rise 

Latest Stories