અમદાવાદ: IPL માટે પોલીસે બનાવ્યો ખાસ એક્ષન પ્લાન, 1600 પોલીસકર્મીઓ રહેશે તૈનાત

31 માર્ચે IPL ની મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવવાની છે જેને લઈને સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક ના થાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.

New Update
અમદાવાદ: IPL માટે પોલીસે બનાવ્યો ખાસ એક્ષન પ્લાન, 1600 પોલીસકર્મીઓ રહેશે તૈનાત

31 માર્ચે IPL ની મેચની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ યોજવવાની છે જેને લઈને સ્ટેડિયમમાં પોલીસ બંદોબસ્ત તથા ટ્રાફિક ના થાય તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે.

Advertisment

અમદાવાદમાં 31 માર્ચે IPL શરૂ થવાની છે જે માટે પોલીસે જે પ્લાન બનાવ્યો છે તે મુજબ સ્ટેડિયમમાં 5 DCP,10 ACP સહિત 1600 પોલીસકર્મીઓ તૈનાત રહેશે.આ ઉપરાંત 800 જેટલા ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રહેશે. બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે જેની જગ્યાએ વાહન ચાલકો જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે.સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 3 વાગે એન્ટ્રી આપવાની શરૂ કરી દેવામાં આવશે જેથી બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રસ્તો બંધ કરી દેવામાં આવશે.લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે BRTS ની 29 બસ વધારવામાં આવી છે.આ ઉપરાંત AMTS ના રુટ પણ વધારવામાં આવ્યા છે.મેટ્રો પણ રાતે 2:30 વાગ્યા સુધી ચાલશે. દર 8 થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે.પાર્કિંગ માટે ગુજરાત ટાયન્ટન્સ ટીમે શૉ માય પાર્કિંગ રાખ્યું છે.શૉ માય પાર્કિંગના 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે જેમાં 4 પ્લોટ ટુ વ્હીલર,15 ફોર વ્હીલર માટે છે તથા 1 પાર્કિંગ પ્લોટ VIP પાર્કીંગ માટે છે જે સ્ટેડિયમની અંદર રહેશે.ગેટ નંબર 3થી VIP એન્ટ્રી રહેશે.દર વખતે પાર્કિંગથી સ્ટેડિયમ જવા માટે પ્રેક્ષકોને મુશ્કેલી થાય છે જેથી આ વખતે દૂરના પાર્કિંગથી શટલ સર્વિસ આપવામાં આવશે.જે પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરશે તેમને પાર્કિંગથી સ્ટેડિયમ નજીકના 1 અને 2 નંબરનાં ગેટ સુધી ફ્રીમાં ઇકો ગાડીમાં ઉતારવામાં આવશે.

Advertisment