અમદાવાદ : પોલીસ હેડકવાટર્સ ખાતે તિરંગો લહેરાયો, બે પોલીસ અધિકારીઓને પરમવીર ચક્ર એનાયત

પોલીસ હેડકવાટર્સ ખાતે ધ્વજવંદન સમારંભ, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના હસ્તે ધ્વજવંદન.

New Update
અમદાવાદ : પોલીસ હેડકવાટર્સ ખાતે તિરંગો લહેરાયો, બે પોલીસ અધિકારીઓને પરમવીર ચક્ર એનાયત

અમદાવાદમાં દેશના 75મા સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે પોલીસ હેડકવાટર્સ ખાતે ધ્વજવંદન સમારંભ યોજવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવના હસ્તે તિરંગો લહેરાવવામાં આવ્યો હતો.

અમદાવાદ પોલીસ હેડ કવાટર્સ ખાતે અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવની હાજરીમાં ધ્વજવંદન સમારંભ યોજવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નરના હસ્તે દેશની આન-બાન અને શાન સમાન તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. રાષ્ટ્રગીતની સુરાવલી વચ્ચે તિરંગાને સલામી આપવામાં આવી હતી. સમગ્ર વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા બે પોલીસ ઇન્સપેકટરને પરમવીર ચક્ર એનાયત કરાયાં હતાં. કોરોનાની મહામારી દરમિયાન જીવ ગુમાવી દેનારા પોલીસ અધિકારીઓ તથા જવાનોના પરીવારજનોને કાર્યક્રમમાં હાજર રાખવામાં આવ્યાં હતાં. મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યકત કરી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં.