અમદાવાદ : રોડ શો સાથે વડાપ્રધાનની સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય એન્ટ્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કર્યું.

New Update
અમદાવાદ : રોડ શો સાથે વડાપ્રધાનની સરદાર પટેલ સ્ટેડિયમમાં ભવ્ય એન્ટ્રી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમમાં ગુજરાત ખેલ મહાકુંભ 2022નું ઉદ્ઘાટન કર્યું. ખેલ મહાકુંભ પહેલા પીએમ મોદીનો ઇન્દિરા બ્રિજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી રોડ શો યોજાયો હતો. વડાપ્રધાનના ત્રીજા રોડ શોને લઈને ડફનાળા રિવરફ્રન્ટ તરફના હિસ્સામાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો.રસ્તાની બને બાજુ હજારોની ભીડે પીએમ મોદીને આવકાર્યા હતા.

પીએમ મોદી 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે ત્યારે આજે ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવતા પહેલા તેઓએ ત્રીજો રોડ શો કર્યો હતો શહેરના ઇન્દિરા બ્રીજથી સરદાર પટેલ સ્ટેડિયમ સુધી આ રોડ શોમાં હજારોની જન મેદની ઉમટી પડી હતી. રસ્તાની બને બાજુ ઢોલ નાગર સાથે અને પુષ્પ વર્શા સાથે લોકોએ પીએમનું ભવ્ય સ્વાગત કર્યું હતું પીએમે પણ હાથ હલાવી લોકોનું અભિવાદન કર્યું હતું પીએમ પોતાના વતન માં હોઈ શહેરીજનો પણ ભારે ઉત્સાહ માં જોવા મળ્યા હતા નાના બાળકોથી લઇ મોટેરા સુધી હાર કોઈ મોદીની એક ઝલક જોવા આતુર હતા અંદાજિત 2 વર્ષ બાદ પીએમ મોદી અમદાવાદમાં રોડ શો કરી રહયા હતા શાહીબાગ ગાંધી આશ્રમ વાડજ સર્કલ ઉસ્માનપુરા થઇ પીએમ સરદાર પટેલ સ્ટેડાયમ પોહ્ચ્યા હતા

#Ahmedabadpolice #Prime Minister #grand entry ##khelmahakumbh2022 #Ahmedabad #Ahmedabad Gujarat #pmmodi #Sardar Patel Stadium #road show
Latest Stories
Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રે...

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.