અમદાવાદ : રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગશે કર્ફ્યૂ, ચૂસ્ત બંદોબસ્તમાં નીકળશે રથયાત્રા

ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાની સરકારે આપી પરવાનગી, રથયાત્રાને લઈ શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી.

New Update
અમદાવાદ : રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાગશે કર્ફ્યૂ, ચૂસ્ત બંદોબસ્તમાં નીકળશે રથયાત્રા

અમદાવાદ સહિત ગુજરાતમાં વિવિધ સ્થળે રથયાત્રાને સરકારે પરવાનગી આપી છે. ત્યારે દેશની બીજી સૌથી મોટી અમદાવાદની રથયાત્રાને લઈને શહેર પોલીસ કમિશનરે પત્રકાર પરિષદ યોજી રથયાત્રાના રૂટ પર કર્ફ્યૂ, પોલીસ બંદોબસ્ત, બેરિકેડિંગ તથા કોરોનો ગાઈડલાઈન સહિતની તમામ વિગત આપી હતી.

અમદાવાદમાં ભગવાન જગન્નાથનો 144મી રથયાત્રા યોજવા માટે પરવાનગી આપી દેવામાં આવી છે ત્યારે આ રથયાત્રા 22 કિલોમીટરના રૂટમાં ફરે છે જેમાં રથયાત્રા રૂટના 8 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે અને એ તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. આ કરફ્યુ માત્ર રથયાત્રાના દિવસ દરમ્યાન રાખવામાં આવ્યો છે.

આ રથયાત્રામાં 20 ખલાસી સાથે ત્રણ રથ હશે. જો લોકો રથયાત્રા જોવા આવશે તો તેમની સામે કાર્યવાહી થશે. કર્ફ્યૂનો સમય સવારે 7 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રહેશે. પોલીસ બંદોબસ્તની વાત કરવામાં આવે તો, ડિસપી અને તેનાથી ઉપરની કક્ષાના અધિકારી -42 એસીપી-74, પીઆઈ -230, પીએસઆઇ -607, પોલીસકર્મી -11800, SRP કંપની-34, CAPF કંપની-9, ચેતક કમાન્ડો-1, હોમગાર્ડ-5900, BDDS ટીમ-13, QRT ટીમ-15 રથયાત્રામાં તૈયાનત રહેશે. જોકે, રથયાત્રા વહેલી પૂરી થઈ જશે તો કર્ફ્યૂ વહેલા ઉઠાવી દેવામાં આવશે તેમ પણ શહેર પોલીસ કમિશનરે જણાવ્યુ છે.

મહત્વનુ છે કે, જે પ્રમાણે કોરોના મહામારી ચાલી રહી છે તેને જોતા બીજી લહેર બાદ ત્રીજી લહેર ન આવે લોકો ભેગા ન થાય તેનું પૂરતું ધ્યાન રખાશે. ત્રણ લેયરમાં રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવાશે. ગાયકવાડ હવેલી, શહેર કોટડા, કારંજ, કાલુપુર, માધુપુરા, દરિયાપુર, ખાડિયા, શાહપુર પોલીસ મથકમાં આવેલા વિસ્તારમાં કર્ફ્યૂની અમલવારી થશે. રથયાત્રામાં કોઈ હાથી, ટ્રક, ભજન મંડળીને મજૂરી આપવામાં આવી નથી. રથયાત્રાના દિવસે કરફ્યુ વિસ્તારોમાં અને મંદિરની નજીકમાં ખાસ નક્કી કરેલા લોકો જ આવી શકશે. સ્થાનિકો પાસેથી અપેક્ષા અને વિનંતી કરવામાં આવી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે અને ટીવી પર ભગવાનના દર્શન કરે.

Read the Next Article

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો...

પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ “સખાવતનું બીજું નામ “પારસી” છે, તેમ જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી

New Update
  • પારસી ધર્મગુરુઓનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો

  • રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રહ્યા વિશેષ ઉપસ્થિત

  • સખાવતનું બીજું નામ પારસી” છે : CM ભુપેન્દ્ર પટેલ

  • CM’એ પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી

  • પારસી ટ્રસ્ટ દ્વારા પેઢી માટે નવી શિષ્યવૃત્તિની જાહેરાત 

અમદાવાદ ખાતે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પારસી ધર્મગુરુઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં પારસી ધર્મગુરુઓના સન્માન સમારંભમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ સખાવતનું બીજું નામ પારસી” છેતેમ જણાવી પારસી સમાજની સખાવતની પરંપરાને બિરદાવી હતી.

વધુમાં તેઓએ જણાવ્યુ હતું કેપારસીઓના પૂર્વજોએ 1300 વર્ષ પહેલા ઈરાનથી ગુજરાતમાં આવીને આશરો નહોતો લીધોપણ તેઓએ ભગવાન શ્રી કૃષ્ણના ગીતામાં આપેલા 'સ્વધર્મ'ના સંદેશને જીવનમાં ઉતાર્યો હતો. પારસી સમુદાયએ પોતાના ધર્મ અને સંસ્કારોને જાળવવાની સાથે ભારતીય સમાજ સાથે પણ તાદાત્મ્ય સાધ્યું છે.

આ અવસરે રાષ્ટ્રનિર્માણમાં પારસીઓના મહામૂલા યોગદાનનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યક્રમમાં પારસી ટ્રસ્ટ દ્વારા આગામી પેઢીને ધાર્મિક શિક્ષણ મળે તે માટે નવી શિષ્યવૃત્તિની પણ જાહેરાત કરવામાં આવી હતી.

Latest Stories