Connect Gujarat
અમદાવાદ 

અમદાવાદ : ઠક્કરબાપા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી 2 નરાધામોએ આચર્યું દુષ્કર્મ...

પ્રકાશ પુરબીયા અને રાહુલ સોલંકી નામના આરોપીએ ઠક્કર બાપાનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરીને કારમાં બેસાડી લઈ ગયા હતા

X

અમદાવાદ શહેરમાં દુષ્કર્મની ઘટનામાં એકાએક વધારો થયો છે ત્યારે કૃષ્ણનગરમા વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી હતી. મળતી માહિતી અનુસાર કૃષ્ણનગરમાં રહેતી 17 વર્ષની સગીરા ઘરેથી સાંજે બહાર નીકળી રોડ પર ચાલતી જતી હતી ત્યારે 2 આરોપી અપહરણ કરીને લઈ ગયા હતા.આ સમગ્ર મામલો કૃષ્ણનગર પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે તપાસ શરૂ કરી હતી અને પોલીસ તપાસ મા સગીરા સાથે દુષ્કર્મ કરવાના ઇરાદે અપહરણ થયું હોવાનું સામે આવ્યું હતું.

પ્રકાશ પુરબીયા અને રાહુલ સોલંકી નામના આરોપીએ ઠક્કર બાપાનગર વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરીને કારમાં બેસાડી લઈ ગયા હતા અને એક હોટલમા લઈ જઈ સગીરા સાથે બને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું.જોકે સગીરાની માતાએ આપેલી ફરિયાદના આધારે પોલીસે CCTVની ચકાસણી કરી હતી અને હોટલોના CCTVની ચકાસણીમા કૃષ્ણનગરની હોટલમાંથી આ સગીરા મળી આવી હતી.પોલીસે બને આરોપીની હોટલ પરથી ધરપકડ કરી અન્ય આરોપી સંકળાયેલ છે કે કેમ તેને લઈને તપાસ હાથ ધરી છે.

Next Story