અમદાવાદ : કાઉન્સિલરના ડુપ્લિકેટ સ્ટેમ્પથી આધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, એક મહિલાની ધરપકડ

આપણે જાણીએ છીએ તેમ આધાર કાર્ડમાં નામ બદલવા માટેના ફોર્મમાં કાઉન્સિલરના સિક્કા અને સહીની જરૂર પડતી હોય છે.

New Update
અમદાવાદ : કાઉન્સિલરના ડુપ્લિકેટ સ્ટેમ્પથી આધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ, એક મહિલાની ધરપકડ

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં મહિલા કાઉન્સિલરના સ્ટેમ્પના ડુપ્લીકેટ સિક્કા બનાવીને આધાર કાર્ડમાં નામ બદલવાના ફોર્મમાં સહી-સિક્કા કરી દેવાના મામલે આનંદનગર પોલીસે એક મહિલાની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.

આપણે જાણીએ છીએ તેમ, આધાર કાર્ડમાં નામ બદલવા માટેના ફોર્મમાં કાઉન્સિલરના સિક્કા અને સહીની જરૂર પડતી હોય છે. આથી, મહિલા કાઉન્સિલરના નામ અને સિક્કા કોઈ અજાણી વ્યક્તિના ફોર્મમાં જોવા મળતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારમાં મહિલા કાઉન્સિલર ભાવનાબેનને જાણ થઈ હતી કે, તેમના સહી અને સિક્કા અન્ય અજાણી વ્યક્તિ ઉપયોગમાં લઈ રહી છે. આ જાણ થતા જ તેમણે આનંદનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ બાદ, આનંદનગર પોલીસે કાર્યવાહી કરતા મનિષા મહંમદ અયુબ શેખ નામની મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ ઉપરાંત, અન્ય એક આરોપી દુર્ગા પ્રસાદ યાદવ પણ આ મામલામાં સંડોવાયો હોવાની વાત સામે આવી હતી. જોકે, તે હાલ ફરાર થઈ ગયો છે. જેની પણ પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. અમદાવાદના શ્યામલ ચાર રસ્તા નજીક આવેલ એક બિલ્ડીંગમાં એસ. એમ. ડીઝીટલ નામની ઓફિસ આવેલી છે, અને આ ઓફિસમાં મનીષા અને દુર્ગા પ્રસાદ કામ કરે છે. દુર્ગા પ્રસાદ ઓફિસમાં આધાર કાર્ડમાં નામ બદલવાના અને આયુષ્માન કાર્ડ નવા કાઢવાના હોય તેમાં કોર્પોરેટરની સહી સિક્કાઓ કરી આપવાનું કામ કરી આપતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલા આરોપીનું કામ તો માત્ર ડોક્યુમેન્ટ રિસીવ કરવાનું રહેતું હતું. પરંતુ માસ્ટર માઈન્ડ દુર્ગા પ્રસાદ કે, જે કોર્પોરેટરના સહી અને સિક્કા ફોર્મ ઉપર કરીને આવતો હતો, તેની ધરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં તાર ક્યાં સુધી સંકળાયેલા છે, તેની જાણ થઇ શકશે.

Read the Next Article

અમદાવાદ : અલકાયદા સાથે જોડાયેલા 4 શખ્સોની ગુજરાત ATSએ ધરપકડ કરી, AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

ગુજરાત ATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છે, જ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

New Update
  • ATSએ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોની ધરપકડ

  • AQISની વિચારધારાનો કરતાં હતા પ્રચાર-પ્રસાર

  • જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પણ કરતાં હતા પોસ્ટ

  • ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી

  • અમદાવાદ અને મોડાસાની 2 શખ્સોનો સમાવેશ

  • 2 શખ્સ દિલ્હી અને નોઈડાના હોવાનું સામે આવ્યું

ગુજરાતATSએ અલકાયદા સાથે જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનું સામે આવ્યું છે.

અલકાયદાના દક્ષિણ એશિયા ક્ષેત્ર સાથે જોડાયેલાAQIS (અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટ)ની વિચારધારાનો પ્રચાર-પ્રસાર કરનાર મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાનમોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસસેફુલ્લા કુરેશી મહમદ રફીક અને ઝીશાન અલી આસિફ અલીની ગુજરાતATSએ ધરપકડ કરી છે. આ 4 આરોપીમાં 2 વ્યક્તિ ગુજરાતના અમદાવાદ અને મોડાસાની છેજ્યારે 2 વ્યક્તિ દિલ્હી અને નોઈડાની હોવાનુંATSની તપાસમાં સામે આવ્યું છે. તેઓ સોશિયલ મીડિયા અને કેટલીક સસ્પેક્ટ એપ્લિકેશન દ્વારા અલકાયદાની વિચારધારા સાથે જોડાઈને એને ફેલાવવા સુધીની કામગીરીમાં સક્રિય હતા. માત્ર એટલું જ નહીંતેઓ જેહાદ અંગે લિટરેચર ગ્રુપમાં પોસ્ટ કરતા હતા. ઓપરેશન સિંદૂર સમયની કેટલીક પોસ્ટ પણ મળી આવી છે.

ગુજરાતATSએ ધરપકડ કર્યા બાદ અમદાવાદ અને મોડાસાના આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ અંગેATS DIG સુનીલ જોશીએ જણાવ્યું હતું કે, ATSના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયને ગત તા. 10 જૂને 5 ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અંગે માહિતી મળી હતી. જેમાં શરિયત યા શહાદતફરદીન 3મુજાહિદ્દ 1મુજાહિદ્દ 3 અને સેફુલ્લા મુજાહિદ્દ 313 આ 5 એકાઉન્ટ અંગે માહિત મળી હતી. આ 5 એકાઉન્ટ એ એક પ્રોસ્ક્રાઈબ ટેરેરિસ્ટ ઓર્ગેનાઈઝેશન છે. જે અલકાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટિનન્ટની વિચારધારાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા. એટલું જ નહીંભારતીય યુવાઓને ધાર્મિક રીતે દેશ વિરોધી કાર્યવાહી કરવા માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.