અમદાવાદ : સિમ સ્વેપિંગ કરી રૂ. 1.19 કરોડની ઠગાઇ કરનાર ભેજાબાજોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ...

ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ સાથે સાથે સાઈબર ક્રાઈમના બનાવો પણ સતત વધી રહ્યા છે,

New Update
અમદાવાદ : સિમ સ્વેપિંગ કરી રૂ. 1.19 કરોડની ઠગાઇ કરનાર ભેજાબાજોની સાયબર ક્રાઇમે કરી ધરપકડ...

અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે સિમ સ્વેપિંગ કરી રૂ.1.19 કરોડની ઠગાઇ કરનાર આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટેકનોલોજીના વધી રહેલા ઉપયોગ સાથે સાથે સાઈબર ક્રાઈમના બનાવો પણ સતત વધી રહ્યા છે, ત્યારે અમદાવાદ શહેરમાંથી વધુ એક સ્વિમ સ્વેપ ફ્રોડની ઘટના સામે આવી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને સિમ સ્વેપિંગ મામલે મોટી સફળતા મળી છે. જેમાં સિમ સ્વેપિંગ કરનાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ભેજાબાજોએ સિમ સ્વેપ કરીને 1.19 કરોડ રૂપિયાની ઠગાઈ કરી હતી, ત્યારે આખરે સાયબર ક્રાઇમ પોલીસે સિમ સ્વેપ કરીને ઠગાઈ કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ભેજાબાજો ડમી સિમ કાર્ડ એક્ટિવ કરીને આરોપીના એકાઉન્ટમાં નાણાં ટ્રાન્સફર કરતા હતા. જેમાં નાઇઝીરિયન ગેંગ પણ શામિલ હોય તેવી સાયબર ક્રાઇમે શક્યતા વ્યક્ત કરી છે, ત્યારે હાલ તો સાયબર ક્રાઇમે આ ગુના આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી 7 દિવસ રિમાન્ડ મેળવી આ કાંડમાં સંડોવાયેલ અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

Read the Next Article

ગુજરાતી ફિલ્મ નિર્માતા મહેશ જીરાવાલાનું પ્લેન ક્રેશમાં મોતની પુષ્ટિ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો

વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કે, તે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છે

New Update
Mahesh Jirawala

અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન 12 જૂને દુર્ઘટનાગ્રસ્ત થઈ બી.જે મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. જે દુર્ઘટનામાં 280થી વધુ લોકોના મૃત્યુ થયા છે. આ દુર્ઘટનામાં મૃતકોની ઓળખ માટે ડીએનએ મેચ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. વિમાન દુર્ઘટના બાદ ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકર મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં પરિવાર માનવા તૈયાર નહોતો કેતે મૃતદેહ મહેશનો છે. જ્યારે હવે ફિલ્મમેકરના મૃત્યુની પુષ્ટિ થઈ છેત્યારે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો છે.

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલા ગુમ હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહેશ જીરાવાલાના DNA મેચ થવા છતાં તેમનું મૃત્યુ નીપજ્યું હોવાને લઈને પરિવાર માનવા તૈયાર નહોતો.

સમગ્ર મામલે પોલીસે સળગેલા એક્ટિવાના એન્જિન-ચેસીસ નંબર, સીસીટીવી સહિતના પુરાવા એકઠા કરીને મૃતકના પરિવારને માહિતી આપી હતી.આમ હવે જીરાવાલાના મોતની પુષ્ટિ થઈ છે, ત્યારે પરિવારે મહેશ જીરાવાલાનો મૃતદેહ સ્વીકાર્યો છે.

અમદાવાદના નરોડ વિસ્તારમાં રહેતા 34 વર્ષીય ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર મહેશ ગીરધરભાઈ કાલાવાડિયા ઉર્ફે જીરાવાલ ઘરથી નીકળ્યા હતા અને શાહીબાગ સિવિલ હોસ્પિટલની નજીકમાં ગુમ થયા હતા. આ મામલે કાર્તિકએ પોતાનો ભાઈ ગુમ થયાની નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ટેકનિકલ સોર્સ સહિતની પોલીસ તપાસમાં મહેશ વિમાન દુર્ઘટનામાં ભોગ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પરિવાર આ વાતને માનવા તૈયાર ન હતો. જ્યારે દુર્ઘટનાગ્રસ્ત સ્થળેથી લેવામાં આવલા મૃતદેહ સાથે મહેશના પરિવારજનો DNA મેચ થતાં અને પોલીસે જરૂરી પુરાવા રજૂ કરતા અંતે મહેશનું મોત નીપજ્યું હોવાની પુષ્ટિ થઈ છે.